Site icon News Continuous Bureau | Mumbai

Pension Court: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત

Pension Court: પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 27 જૂન, 2024ના રોજ બપોરે 4-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

Pension Court for settlement of questions relating to postal pensioners

Pension Court for settlement of questions relating to postal pensioners

News Continuous Bureau | Mumbai 

Pension Court: પોસ્ટલ પેન્શનરને ( Postal Pensioners ) લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ શહેર વિભાગ, અમદાવાદ-380009 ખાતે તારીખ 27 જૂન, 2024ના રોજ બપોરે 4-00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

આ અંગેની ફરિયાદો 25 જૂન, 2024 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ ( Ahmedabad )   શહેર વિભાગ, અમદાવાદ- 380009ને મોકલવાની રહેશે. તારીખ 25/06/2024 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિ.આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને ( post office ) લગતી ફરિયાદો પુરતી મર્યાદીત રહેશે.

આ સમાચાર પણ વાંચો:  International Yoga Day: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ

વધુમાં ભારતીય ડાક વિભાગ ( Indian Postal Department ) દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ” ( Digital Life Certificate ) ની સેવા IPPBના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી “જીવન પ્રમાણપત્ર” ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની શરૂઆતથી પેન્સનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version