Site icon News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi: અમદાવાદનો આ પરિવાર બનાવે છે ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ, જે POPથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ હોય છે ટકાઉ.

Ganesh Chaturthi: ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ ત્રણ પેઢીથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે.આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.

This family from Ahmedabad has been making eco-friendly Ganesha idols for three generations

This family from Ahmedabad has been making eco-friendly Ganesha idols for three generations

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi:  ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપ્પાની મૂર્તિની ( Ganesh Idols )  સ્થાપના કરે છે ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો-ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં ( Ahmedabad ) રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની  મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે.  

Join Our WhatsApp Channel

Ganesh Chaturthi:  અમદાવાદમાં મુર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદગી કરી રહ્યા છે.

આ વર્ષે વિજયભાઈ ( Vijay Naik ) અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મુર્તિમાં નાળિયેરના રેસાનો ઉપયોગ મુર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે થાય છે. ઈકો ફ્રેન્ડલી ( Eco-friendly idols )  અભિયાન આ રીતે વેગવાન બન્યું છે સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો કર્યા રજૂ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Exit mobile version