Site icon News Continuous Bureau | Mumbai

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત

અમદાવાદ મંડળના પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં અપ મેન લાઇન પર કિ.મી. 727/23-25 વચ્ચે આવેલ પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Palanpur Ahmedabad train disruption પાલનપુર–અમદાવાદ ખંડ પ

Palanpur Ahmedabad train disruption પાલનપુર–અમદાવાદ ખંડ પ

News Continuous Bureau | Mumbai

Palanpur Ahmedabad train disruption અમદાવાદ મંડળના પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં અપ મેન લાઇન પર કિ.મી. 727/23-25 વચ્ચે આવેલ પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય “કટ-એન્ડ-કવર” પદ્ધતિથી તથા રોડ ક્રેન દ્વારા પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્સ સ્થાપિત કરીને કરવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

સુરક્ષા તથા આવશ્યક એન્જીનિયરિંગ કર્યોને ધ્યાનમાં રાખીને, તારીખ 30 નવેમ્બર 2025 (રવિવાર)ના રોજ નીચે મુજબની  યાત્રી ટ્રેનોને આંશિક રીતે રદ તેમજ પુનર્નિર્ધારિત કરવામાં આવી છે:

આંશિક રીતે રદ ટ્રેનો

ટ્રેન સંખ્યા 20960 વડનગર – વલસાડ એક્સપ્રેસ તારીખ 11.2025ના રોજ વડનગર – ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન સંખ્યા 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 11.2025ના રોજ આબુ રોડ – સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન સંખ્યા 14822 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ તારીખ 12.2025ના રોજ સાબરમતી – આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન સંખ્યા 20959 વલસાડ – વડનગર એક્સપ્રેસ તારીખ 11.2025ના રોજ ગાંધીનગર કેપિટલ – વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan: જાહેરાત વિવાદ: કન્ઝ્યુમર કોર્ટમાં સલમાન ખાનની સ્પષ્ટતા – ‘મેં પાન મસાલા નહીં, માત્ર ઇલાયચીની જાહેરાત કરી હતી!’

પુનર્નિર્ધારણ

ટ્રેન સંખ્યા 20485 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 11.2025ના રોજ જોધપુરથી 02.00 કલાક મોડી ઉપડશે.

ટ્રેન સંખ્યા 69207 ગાંધીનગર કેપિટલ – વરેઠા એક્સપ્રેસ તારીખ 11.2025ના રોજ ગાંધીનગર કેપિટલથી 01.00 કલાક મોડી ઉપડશે.

મુસાફરો ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ તથા સંરચના અંગેની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Ahmedabad RBI Chest Theft Case। અમદાવાદમાં ૮.૭૦ કરોડની મેગા લૂંટનો માસ્ટરમાઇન્ડ પકડાયો કચરાની ડોલ, ૯૮ દિવસનું મૌન અને માંદગીની રજા પાછળનું ચોંકાવનારું રહસ્ય!
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version