Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો  

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ સામાન્ય મુંબઈવાસીઓ માટે લાઈફલાઈન ગણાય છે. ઘણા મુસાફરો હવે પીક અવર્સ દરમિયાન અથવા ઉતાવળમાં હોય ત્યારે UTS મોબાઇલ એપ પરથી સીધી ટિકિટ બુક કરીને લોકલ ટ્રેન પકડવાનું પસંદ કરે  છે. મુંબઈ લોકલના મુસાફરો તરફથી ઓનલાઈન ટિકિટિંગની એપને વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન  રેલવે પ્રશાસને રેલવે મુસાફરોને વધુ એક સુવિધા આપી છે. રેલવે પ્રશાસને UTS મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરવા માટેના અંતરના નિયંત્રણો હળવા કર્યા છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે અંતર મર્યાદા વધારવામાં આવી છે. રેલવેની અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ સિસ્ટમ (UTS) મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરવા માટેની હાલની અંતર મર્યાદા ઉપનગરીય વિભાગ માટે વર્તમાન બે કિમીથી વધારીને પાંચ કિમી કરવામાં આવી છે. તેથી હવે સ્ટેશનથી મહત્તમ પાંચ કિમી દૂરથી પણ લોકલ ટિકિટ ખરીદી શકાશે. આ ઉપરાંત બિન-ઉપનગરીય ટિકિટ માટે, અંતર મર્યાદા પાંચ કિલોમીટરથી વધારીને 20 કિલોમીટર કરવામાં આવી છે. તેનાથી લોકલ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત થશે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ : શું તમે પણ  તૈલી ત્વચા થી છુટકારો મેળવવા માંગો છો?? તો કરો આ ઉપાય, મળશે ઘણા ફાયદા 

ઘણા મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરવા માટે UTS મોબાઈલ એપ દ્વારા તેમની ટિકિટ બુક કરાવે છે. લોકો રેલવે ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનું પસંદ કરે છે. આ માટે UTS મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આ એપ્લિકેશનમાં પણ કેટલીક મર્યાદાઓ હતી. જેના કારણે મોટાભાગે મુસાફરોને ટિકિટ બુક કરાવવામાં અડચણોનો સામનો કરવો પડતો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના બાદ તાજેતરમાં UTS એપ સંપૂર્ણ રીતે લોન્ચ કરવામાં આવી છે. કોરોના સમયગાળા દરમિયાન લોકલ સેવા બંધ હતી. તેની સાથે UTS એપ પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલવેએ તબક્કાવાર આ એપ શરૂ કરી હતી. 

Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Sharad Pawar’s Attack on BJP શરદ પવારનો ભાજપ પર પ્રહાર, ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીની નિંદા, મોદીનેહરુની સરખામણીને ગણાવી ખોટી
Investor Sentiment Dips શું રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો? એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું ‘રોકાણ’, મે મહિનાના આ આંકડાએ વધારી ‘ચિંતા’
Exit mobile version