Site icon

માટુંગા-ધારાવીના 21 દુકાનદારોને કોરોનામાં દુકાનો ખુલ્લી રાખવી અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરળ કેદની સજા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

કોરોના દરમ્યાન લોકડાઉન માં મેડીકલ ગાઈડલાઈનનું પાલન ના કરવા બદલ ધારાવીના દુકાનદારો દંડાયા છે. બાંદ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટે, એપ્રિલમાં શહેરને કડક રીતે બંધ રાખવાના સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ 21 દુકાનદારોને દોષી ઠેરવ્યા હતા. તેઓને સરળ કેદ ભોગવવાની સજા કોર્ટે કરી છે અને તેમના પર પ્રત્યેકને રૂ .3,000 નો દંડ ફટકાર્યો છે. 
અન્ય 20 લોકોમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ, મોટરસાયકલ ચલાવનારા અને નમાઝ માટે ભેગા કરવા બદલ સજા કરવામાં આવી છર. દોષિત ઠેરવવાના બીજા કેસમાં ઉલ્લંઘન કરનારા એ લોકો હતા જેઓ માસ્ક વિના,  સામાજિક અંતર રાખતા ન હતા અને કારણ વગર ભટકતા હતા. 

Join Our WhatsApp Community

આ તમામ પર રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને સરકારના નિર્દેશોનું પાલન ન કરવાની પણ સજા ઉમેરી છે. આ ગુનામાં છ મહિનાથી એક વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને સજા થઈ શકે છે. શાહુ નગર પોલીસે ઉપરોક્ત લોકો સામે ગુનો નોંધ્યો છે અને આ આરોપી ધારાવી અને માટુંગાના રહેવાસી છે.   મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ ગુલેએ તેમને સરળ કેદની સજા સંભળાવી હતી. હવે જો તેઓ દંડ નહીં ભરે તો તેઓને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે, એવું પણ આદેશમાં જણાવાયું છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version