Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના પ્રખ્યાત પંજાબી ઘસીટારામ હલવાઈના મેનેજિંગ ડાયરેક્ટર સહિત ચાર આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો, 3ની ધરપકડ..

Mumbai: સગીર મજૂરને નોકરી પર રાખવા માટે તેમજ તેનું મૃત્યુ થતાં આ ગુનો નોંધાયો હતો. આમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સુપરવાઈઝર તથા અન્ય બે પર ગેરકાયદેસર રીતે સગીર કામદારોને કામ પર રાખવા, તેમજ સગીર કામદારોના પુરવઠો કરવાનો આરોપ છે.

A case was registered against four accused, including the managing director of Mumbai's famous Punjabi Ghasitaram Halwai, 3 arrested

A case was registered against four accused, including the managing director of Mumbai's famous Punjabi Ghasitaram Halwai, 3 arrested

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના પ્રખ્યાત પંજાબી ઘસીટારામ હલવાઈના ( punjabi ghasitaram halwai ) ડિરેક્ટર સહિત ચાર લોકો વિરુદ્ધ સાહુ નગર પોલીસ સ્ટેશનમાં ગંભીર કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સગીર મજૂરને નોકરી પર રાખવા માટે તેમજ તેનું મૃત્યુ થતાં આ ગુનો નોંધાયો હતો. આમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સુપરવાઈઝર તથા અન્ય બે પર ગેરકાયદેસર રીતે સગીર કામદારોને કામ પર રાખવા, તેમજ સગીર કામદારોના પુરવઠો કરવાનો આરોપ છે. માહિમમાં જાસ્મીન મિલ રોડ પર ‘પંજાબી ઘસીટારામ હલવાઈ’ની મીઠાઈ બનાવવાની ફેક્ટરી છે. આ સ્થાન પર મીઠાઈ બનાવવામાં આવે છે અને મુંબઈની તમામ શાખાઓમાં પહોંચાડવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફેક્ટરીમાં ( factory ) કામ કરવા માટે બે સગીરોને મધ્યપ્રદેશના ઈન્દોરથી ફેકટરીના સંચાલક સાથે પંજાબી ઘસીટારામ હલવાઈમાં કામ કરવા મોકલ્યા હતા. જેમાં સગીર 10 ફેબ્રુઆરીના રોજ પંજાબી ઘાસીટારામ હલવાઈની માહિમ ફેક્ટરીમાં જ્યાં તે કામ કરતો હતો ત્યાં ગેરકાયદેસર લિફ્ટમાં ( illegal lift ) અકસ્માતને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી સગીરને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ઘસીટારામ હલવાઈના મેનેજમેન્ટે હોસ્પિટલને ખોટી માહિતી આપી હતી અને ઘાયલ સગીરના પરિવારને પણ તેની જાણ કરવામાં આવી ન હતી.

આ સમાચાર પણ વાંચો : Swatantra Veer Savarkar Film : ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મ મહારાષ્ટ્રમાં કર મુક્ત હોવી જોઈએ; રણજિત સાવરકરની માંગ..

 અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સગીર મજૂરનું ( minor labour ) સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સગીર મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સાયન પોલીસ ( Mumbai Police ) સ્ટેશનમાં કરવામાં આવી હતી, દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સગીર મજૂરના મૃત્યુનું કારણ સ્પષ્ટ થતાં જ કેસ શાહુ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. શાહુ નગર પોલીસે આ મામલામાં ‘પંજાબી ઘસીટારામ હલવાઈ’ ના ડાયરેક્ટર સહિત ચાર લોકો સામે દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે અને ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં હાલ મેનેજિંગ ડિરેક્ટર ફરાર છે. તેની શોધ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી રહી છે.

Mumbai Bike Theft Racket 2026। મુંબઈમાં અનોખું રેકેટ બાઈક ચોરી કરી ફૂડ ડિલિવરી બોયઝને ભાડે આપતો શખ્સ ઝડપાયો
Tragic Accident in Thane। થાણેમાં લોખંડની સીડીમાં કરંટ ઉતરતા ૬ વર્ષના બાળકનું મોત; તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ
Mumbai Airport T1 Fraud Case। મુંબઈ એરપોર્ટ પર વિદ્યાર્થીની સાથે છેતરપિંડી પરીક્ષાના બહાને ગઠિયો ૩૧,૮૦૦ રૂપિયા પડાવી ગયો
Mumbai Marine Drive Car Fire। મુંબઈના મરીન ડ્રાઈવ પર દોડતી કાર બની આગનો ગોળો પાંચ પ્રવાસીઓનો આબાદ બચાવ
Exit mobile version