Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Ghosalkar Firing Case : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરશે હવે અભિષેક ઘોસાલકર હત્યા કેસની તપાસ, 2 લોકોની ધરપકડ..

Abhishek Ghosalkar Firing Case : શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ થયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Abhishek Ghosalkar Firing Case Mumbai crime branch will now investigate Abhishek Ghosalkar murder case, arrest 2 people.

Abhishek Ghosalkar Firing Case Mumbai crime branch will now investigate Abhishek Ghosalkar murder case, arrest 2 people.

News Continuous Bureau | Mumbai 

Abhishek Ghosalkar Firing Case : મુંબઈના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે મુંબઈ પોલીસે ( Mumbai Police ) આ કેસમાં બે લોકોની અટકાયત કરી છે. રસપ્રદ વાત એ છે કે ગોળીબાર ( Firing ) થયો ત્યારે ઘટનાસ્થળે આરોપી પણ હાજર હતો અને તેનો ઉલ્લેખ મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) ફેસબુક લાઈવમાં ઘોસાલકર હત્યા કરી ત્યારે કર્યો હતો. તો મુંબઈની MHB પોલીસે આ મામલામાં હવે 1 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા.

Join Our WhatsApp Channel

અભિષેક ઘોસાલકરને મોરિસ નોરોન્હાએ એક પછી એક એમ પાંચ ગોળી મારી હતી, જેમાંથી ત્રણ ગોળીઓ ઘોસાલકરને લાગી ગઈ હતી, આ ગોળીબારમાં ઘોસાલકરનું મોત થયું હતું. દરમિયાન મુંબઈ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી શૂટર મોરિસ નોરોન્હાના પીએની રાત્રે ધરપકડ કરી છે. આ સાથે અન્ય એક વ્યક્તિની પણ પોલીસે અટકાયત કરી છે. દરમિયાન, ઘોસાલકરને ગોળી મારતા પહેલા શું થયું હતું, હત્યાનું કારણ શું હતું?, ઘોસાલકર અને મોરિસ વચ્ચે શું વિવાદ હતો? આ તમામ કેસની હવે પોલીસ તપાસ કરી રહી છે.

 અભિષેક ઘોસાલકર પર ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે..

અભિષેક ઘોસાલકર પર ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફાયરિંગની આવી ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. આથી ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિષેક ઘોસાલકર ફાયરિંગ કેસની ( Abhishek Ghosalkar Firing Case ) નોંધ લીધી છે અને પોલીસ પાસેથી તમામ ઘટનાની માહિતી લીધી છે. ફડણવીસે પોલીસ પાસેથી મામલો બરાબર શું હતો અને કઇ દલીલોથી આ ઘટના બની તેની પણ માહિતી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત

પોલીસે અભિષેક ઘોસાલકરની હત્યાના સંબંધમાં કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો છે. આ કેસ કહેવાતા સામાજિક કાર્યકર મોરિસના વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક પિસ્તોલ કબજે કરી છે જે વિદેશી બનાવટની પિસ્તોલ છે. રસપ્રદ વાત એ છે કે મોરિસ પાસે પિસ્તોલનું લાઇસન્સ પણ નહોતું. આ કેસ હવે MHB પોલીસે ક્રાઈમ બ્રાન્ચને ( Crime Branch ) ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

Dombivli Traffic Police Action। ડોમ્બિવલીમાં બેફામ રિક્ષાચાલકો પર પોલીસની તવાઈ સાત ચાલકો વિરુદ્ધ ફોજદારી ગુના દાખલ
Gold Smuggling Bust। મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની તવાઈ બે અલગઅલગ કેસમાં ૩.૧૫ કરોડનું સોનું ઝડપાયું
Mumbai Drug Bust। વર્સોવામાં એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો ૩.૮૨ કરોડનું હેરોઈન જપ્ત
Jogeshwari Doctor Blackmail। જોગેશ્વરી ટ્રોમા કેર હોસ્પિટલના ડોક્ટરને બ્લેકમેલ કરી ૧૫ લાખની ખંડણી મંગાઈ; મહિલા સહિતની ગેંગ સામે FIR
Exit mobile version