Site icon

Adani Group Motilal Nagar : ધારાવી બાદ હવે ગોરેગાંવનો આ વિસ્તાર પણ ગૌતમ અદાણી કરશે રીડેવલ્પ..

Adani Group Motilal Nagar : મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના વિકાસ પર કામ કરનાર અદાણી એન્ટરપ્રાઇઝિસને હવે મોતીલાલ નગર સંબંધિત એક પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીએ આ માટે મહત્તમ બિલ્ટ-અપ એરિયા ઓફર કર્યો હતો. તાજેતરમાં જ હાઈકોર્ટે આ વિસ્તારના વિકાસ માટે પરવાનગી આપી હતી.

Adani Group Motilal Nagar Adani Group wins Rs 36,000 cr Mumbai's Motilal Nagar redevelopment project

Adani Group Motilal Nagar Adani Group wins Rs 36,000 cr Mumbai's Motilal Nagar redevelopment project

News Continuous Bureau | Mumbai

Adani Group Motilal Nagar : મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી ના વિકાસ પર કામ કરનાર અદાણી એન્ટરપ્રાઇઝિસને હવે મુંબઈમાં વધુ એક પ્રોજેક્ટ મળ્યો છે.  અદાણી ગ્રુપે હવે મોતીલાલ નગરના પુનર્વિકાસ માટે રૂ. 36,000 કરોડની સૌથી વધુ બોલી લગાવી છે. મોતીલાલ નગર-1,  2 અને 3 મુંબઈના સૌથી મોટા હાઉસિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાંનો એક છે. તે ગોરેગાંવ (પશ્ચિમ) ના ઉપનગરીય વિસ્તારમાં 143 એકરમાં ફેલાયેલું છે. 

Join Our WhatsApp Community

Adani Group Motilal Nagar :  પ્રોજેક્ટ માટે સૌથી વધુ  બોલી લગાવી 

અદાણી ગ્રુપની કંપની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ (APPL) આ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે. તેણે તેના નજીકના હરીફ L&T કરતાં વધુ બોલી લગાવી છે. આ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપને યોગ્ય સમયે લેટર ઓફ એલોટમેન્ટ (LOA) જારી કરવામાં આવશે. જોકે, અદાણી ગ્રુપે હજુ સુધી આ ઘટનાક્રમ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

મહત્વનું છે કે અદાણી ગ્રુપ પહેલાથી જ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક ધારાવીનો પુનર્વિકાસ કરી રહ્યું છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (હવે નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ) માં અદાણી ગ્રુપનો 80 ટકા હિસ્સો છે જ્યારે બાકીનો હિસ્સો રાજ્ય સરકાર પાસે છે.

આ સમાચાર પણ વાંચો :  મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું સર્જન કરશે

Adani Group Motilal Nagar :  મોતીલાલ નગરના પુનર્વિકાસનો કુલ અંદાજિત ખર્ચ 36,000 કરોડ 

જણાવી દઈએ કે  મોતીલાલ નગરના પુનર્વિકાસનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 36,000 કરોડ છે, અને પુનર્વસનનો સમયગાળો પ્રોજેક્ટની શરૂઆત/પ્રારંભ તારીખથી સાત વર્ષનો છે. મોતીલાલ નગર પુનર્વિકાસ માટેના ટેન્ડરની શરતો હેઠળ, 3.83 લાખ ચોરસ મીટર રહેણાંક વિસ્તાર સી એન્ડ ડીએને સોંપવાની જોગવાઈ છે. જોકે, અદાણી ગ્રુપની કંપનીએ 3.97 લાખ ચોરસ મીટર વિસ્તાર મ્હાડાને સોંપવાની સંમતિ આપીને બિડ જીતી લીધી છે.

 

 

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version