Site icon

હેં! ડૉક્ટરો પણ મૂંઝવણમાં; કોરોનાની આફત વચ્ચે મુંબઈમાં હવે સ્વાઇન ફ્લૂ, જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાથી હજી છુટકારો મળ્યો નથી ત્યાં હવે મુંબઈમાં ઇન્ફ્લૂન્ઝા H1,N1 (સ્વાઇન ફ્લૂ)એ દસ્તક દીધી છે. એમાં પણ પાછું કોરોના અને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો એક સરખાં હોય છે. એથી દર્દીને સારવાર આપવાને લઈને ડૉક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. મુંબઈમાં બે કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ બંનેનાં લક્ષણો સરખાં હોવાથી દર્દી કોરોનાની સારવારને પ્રતિસાદ આપતો ન હોય તો એને સ્વાઇન ફ્લૂ હોઈ શકે છે.

હાલમાં જ મુંબઈમાં બે દર્દીએ તાવ, શરદી અને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. એમાં 30 વર્ષનો દર્દી હાલમાં જ કોરોનાથી સાજો થયો હતો. સામાન્ય રીતે એક વખત કોરોના થયા બાદ 90 દિવસ સુધી ફરી પાછો એ થતો નથી. આ દર્દીના સેમ્પલ સ્વાઇનફ્લૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૉઝિટિવ જણાયો હતો. બીજો એક પણ કેસ સ્વાઇન ફ્લૂનો નીકળ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ મુંબઈમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી બે કેસ નોંધાયા છે. ગયા વર્ષે સ્વાઇનફ્લૂના 44 તો 2019માં સ્વાઇનફ્લૂના 451 કેસ અને પાંચ મૃત્યુ થયાં હતાં.

સાવધાન! મુંબઈમાં દસ્તક થઈ ગઈ છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વાયરસની

કોવિડ-19 અને સ્વાઇન ફ્લૂ બંને શ્વાસોશ્વાસને લગતી બીમારી છે. બંને બીમારીમાં સમયસર નિદાન થવું આવશ્યક છે. બંનેનાં બીમારીનાં લક્ષણો સરખાં છે, પણ વાયરસ અલગ-અલગ છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version