Site icon

 મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરથી ભરેલા વિમાનને પુશબેક આપનાર વાહનમાં લાગી ભીષણ આગ; જુઓ વિડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

સોમવારે મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી ફ્લાઇટને પુશબેક આપતા વાહન (ટ્રેક્ટર)માં અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત V26R સ્ટેન્ડ પર થયો હતો. આ વાહન મુંબઈથી જામનગરની ફ્લાઈટને પુશબેક આપવાનું હતું. જે સમયે પુશ કરનારી ગાડીમાં આગ લાગી એ સમયે પ્લેનમાં 85 લોકો સવાર હતા. આગથી પ્લેનમાં બેસેલા મુસાફરોને કોઈ નુકસાન થયુ નથી.

 મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે સમયે વિમાનમાં 85 લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, એરપોર્ટ પ્રશાસને તત્પરતા દાખવીને આગને ઝડપથી કાબુમાં લીધી હતી. આ દરમિયાન ફ્લાઈટને કોઈ નુકસાન થયું નથી. વિમાને 12.04 વાગ્યે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછળ ધકેલવા માટે તેને આ ટ્રેક્ટરમાં લાવવામાં આવી હતી. આ ટ્રેક્ટર વિમાનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે જ અચાનક આગ લાગી હતી. જોકે ટ્રેક્ટરમાં આ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.  

સોમવારની સવારે મુંબઈ શહેરના બે વિસ્તારમાં લાગી આગ. વિલેપાર્લે અને ભાયખલા. જાણો વિગત

 

Mumbai Local Train Crime: મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ પર પથ્થરમારો કરતો સિરિયલ ગુનેગાર આખરે ઝડપાયો: RPF અને GRPની સંયુક્ત કાર્યવાહી
Bhushan Gagrani BMC: મુંબઈ પાલિકા કમિશનર ઉત્તર મુંબઈની મુલાકાતે આવતા હોસ્પીટલોમાં સફાઈ અભિયાન શરુ.
GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો
Mumbai chain snatcher arrest: મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.
Exit mobile version