Site icon News Continuous Bureau | Mumbai

Ajit Pawar Demise: નિધન પહેલા અજિત પવારે લીધો હતો ઐતિહાસિક નિર્ણય, 8 ફેબ્રુઆરીએ થવાની હતી જાહેરાત

Ajit Pawar Demise: પ્લેન ક્રેશના થોડા દિવસો પહેલા જ કાકા-ભત્રીજા વચ્ચે થઈ હતી ગુપ્ત બેઠક; જિલ્લા પરિષદની ચૂંટણી બાદ ફરી એક થવાનો હતો પવાર પરિવાર, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.

Ajit Pawar Demise Major Political Twist Ajit Pawar and Sharad Pawar had Agreed on NCP Merger Before Tragic Crash; Announcement was Set for February 8

Ajit Pawar Demise Major Political Twist Ajit Pawar and Sharad Pawar had Agreed on NCP Merger Before Tragic Crash; Announcement was Set for February 8

News Continuous Bureau | Mumbai
Ajit Pawar Demise: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન બાદ રાજકીય ગલિયારા માં એક મોટી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ, અજીત પવાર અને શરદ પવાર ફરી એકવાર સાથે આવવા માટે સંમત થયા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથોને એક કરવા માટેની તમામ પ્રક્રિયાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આ જાહેરાત થાય તે પહેલા જ કરુણ વિમાન અકસ્માતમાં અજીત પવારનું અવસાન થયું.મહારાષ્ટ્રના રાજકારણમાં આ એક ઐતિહાસિક પળ હોત, કારણ કે છેલ્લા લાંબા સમયથી NCP બે ભાગમાં વહેંચાયેલી હતી. સૂત્રોનો દાવો છે કે બારામતી વિમાન અકસ્માતના થોડા દિવસો પહેલા જ અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીતમાં બંને નેતાઓએ પક્ષના હિતમાં મતભેદો ભૂલીને સાથે આવવા પર સહમતિ દર્શાવી હતી.

8 ફેબ્રુઆરીનો એ ખાસ દિવસ

જાણવા મળતી વિગતો મુજબ, બંને પવાર નેતાઓએ નક્કી કર્યું હતું કે મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ તરત જ વિલયની જાહેરાત કરવામાં આવશે. આ માટે 8 ફેબ્રુઆરી ની તારીખ પણ નક્કી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ બેઠકમાં આગળની રણનીતિ અને સત્તાની વહેંચણી અંગે પણ ચર્ચાઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ? 

અધૂરી રહી ગઈ તૈયારીઓ

જોકે, નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. 28 જાન્યુઆરીએ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતે માત્ર અજીત પવારનો જીવ જ નથી લીધો, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણનું આખું ચિત્ર બદલી નાખવાની તૈયારી પર પણ પાણી ફેરવી દીધું. અત્યારે NCP ના બંને જૂથના કાર્યકરોમાં આ સમાચાર સાંભળીને આઘાત અને આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે. શરદ પવારે પણ અજીત પવારના અંતિમ સંસ્કાર વખતે અત્યંત ભાવુક અવસ્થામાં જોવા મળ્યા હતા, જે કદાચ આ અધૂરા રહી ગયેલા વિલયના સંકેત તરફ ઈશારો કરે છે.

 

Mumbai Local Trains Disrupted સેન્ટ્રલ રેલવેની ઘોર બેદરકારી કે અકસ્માત? મુલુંડ પાસે વાયર પર મટીરિયલ પડતા ખોરવાયું ટ્રેન નેટવર્ક, સ્ટેશન પર ભીડ
Sion ROB Opening Delayed સાયન રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન મોડું પડશે, મોટાભાગનું ગર્ડર કામ પૂર્ણ છતાં BMC એ ૪૫ દિવસનો સમય વધારવા માંગ કરી; જાણો કારણ
Mumbai Metro One Frequency Increase મુંબઈ મેટ્રો વન અંધેરીઘાટકોપર રૂટ પર ૧૦ ઓગસ્ટથી ટ્રેનની ફ્રિકવન્સી વધશે, મુસાફરોને મળશે રાહત
Student Protests and Parliament Session – પેપર લીક મુદ્દે સંસદમાં ઘમાસણ નક્કી: વિપક્ષના દબાણ આગળ ઝૂકી સરકાર, ગૃહમંત્રી સંભાળશે મોરચો
Exit mobile version