Site icon

Ajit Pawar Funeral LIVE: બારામતીમાં ઉમટ્યું માનવ મહેરામણ; અમિત શાહ, ફડણવીસ અને એકનાથ શિંદેએ આપી શ્રદ્ધાંજલિ

Ajit Pawar Funeral LIVE: 'અજીત દાદા અમર રહે' ના નારા સાથે ગુંજ્યું બારામતી; શરદ પવાર અને રાજ ઠાકરે સહિતના નેતાઓ અંતિમ વિધિમાં જોડાયા, ત્રણ દિવસનો રાજકીય શોક.

Ajit Pawar Funeral LIVE Amit Shah, Fadnavis, and Shinde Reach Baramati; Thousands Gather to Bid Farewell to 'Dada'

Ajit Pawar Funeral LIVE Amit Shah, Fadnavis, and Shinde Reach Baramati; Thousands Gather to Bid Farewell to 'Dada'

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પાર્થિવ દેહને પંચતત્ત્વમાં વિલીન કરવાની પ્રક્રિયા અત્યારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં ચાલી રહી છે. 28 જાન્યુઆરીએ વિમાન અકસ્માતમાં થયેલા તેમના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આજે સવારથી જ બારામતીના રસ્તાઓ પર હજારો સમર્થકોની ભીડ ઉમટી પડી છે, જેઓ તેમના લોકપ્રિય નેતાના અંતિમ દર્શન કરવા આતુર છે.લેટેસ્ટ અપડેટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે શ્મશાન ઘાટ પર પહોંચી ચૂક્યા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પંકજા મુંડે અને રાજ ઠાકરે પણ હાજર છે. શરદ પવારપોતે અજીત પવારના પાર્થિવ દેહ પાસે ભાવુક અવસ્થામાં જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

 અંતિમ સંસ્કારની મહત્વની વિગતો (11:00 AM સુધી)

સ્થળ: વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન, બારામતી. અહીં જ અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
બ્લેક બોક્સ મળ્યું: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ (Black Box) મળી આવ્યું છે, જેનાથી અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
અન્ય મૃતકો: પ્લેનમાં સવાર પાયલટ સુમિત કપૂરનો પાર્થિવ દેહ દિલ્હી મોકલવામાં આવશે, જ્યાં પંજાબી બાગમાં તેમના અંતિમ સંસ્કાર થશે.
સુરક્ષા વ્યવસ્થા: હજારો સમર્થકો ઉમટી પડ્યા હોવાથી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી

પવાર પરિવારમાં શોકનું મોજું

અજીત પવારની અંતિમ યાત્રા દરમિયાન પરિવારના સભ્યો, ખાસ કરીને તેમના પત્ની સુનેત્રા પવાર અને પુત્રો પાર્થ તથા જય પવાર અત્યંત શોકમગ્ન જોવા મળ્યા હતા. શરદ પવારે હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવી સીધા જ બારામતી પહોંચીને પોતાના ભત્રીજાને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર મહારાષ્ટ્ર સરકાર અત્યારે બારામતીમાં હાજર છે.

તપાસની ગતિ તેજ

AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો) ની ટીમ અકસ્માતની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ તપાસ પારદર્શક અને ફાસ્ટ ટ્રેક રીતે કરવામાં આવશે. પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ (ADR) પણ દાખલ કરવામાં આવ્યો છે. બારામતી એરપોર્ટ પર અત્યારે તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દેવામાં આવી છે.

 

Pune LPG Crisis: ગેસ સિલિન્ડરની અછત વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો આદેશ; ગેસ એજન્સીઓને સુરક્ષા અને બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહીના સંકેત.
BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Exit mobile version