Site icon

Ajit Pawar’s Last Words: ન ક્રેશના 8 મિનિટ પહેલાનો એ ફોન: અજિત પવારે છેલ્લે કોની સાથે કરી હતી વાત? સામે આવી અંતિમ વાતચીતની વિગતો

Ajit Pawar's Last Words: "આપણે દરેક જ્ઞાતિ-ધર્મને સાથે લઈને ચાલીએ છીએ"; કાટેવાડીના NCP પદાધિકારી શ્રીજીત પવાર સાથે કરી હતી છેલ્લી વાત, 28 જાન્યુઆરીએ થયો હતો અકસ્માત

Ajit Pawar's Last Words Audio Clip Reveals Conversation Just Minutes Before Fatal Plane Crash in Baramati

Ajit Pawar's Last Words Audio Clip Reveals Conversation Just Minutes Before Fatal Plane Crash in Baramati

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત લાવનાર ૨૮ જાન્યુઆરીની વિમાન દુર્ઘટના પહેલા ઉપમુખ્યમંત્રી અજિત પવાર કોની સાથે વાત કરી રહ્યા હતા, તેનો ખુલાસો થયો છે. અજિત પવાર તેમના VSR 45 વિમાનમાં સવાર હતા ત્યારે સવારે 8:37 વાગ્યે તેમણે NCP પદાધિકારી શ્રીજીત પવાર સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત પૂર્ણ થયાના માત્ર 8 મિનિટ બાદ, એટલે કે 8:45 વાગ્યે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.આ ઓડિયો ક્લિપમાં અજિત પવારનો સામાજિક સમરસતાનો અભિગમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે તેમનું વિમાન નેટવર્ક રેન્જમાં આવ્યું, ત્યારે તેમણે બારામતીમાં ચૂંટણીલક્ષી બેઠકો અને ટિકિટ ફાળવણી અંગે ચર્ચા કરી હતી. અજિત પવારે અંતિમ ક્ષણોમાં પણ ઓબીસી (OBC) અનામત અને માળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અંગે ભાર મૂક્યો હતો. આ વાતચીત મરાઠી ભાષામાં થઈ હતી.

Join Our WhatsApp Community

અજિત પવાર અને શ્રીજીત પવાર વચ્ચેની વાતચીતના અંશ

વાતચીત દરમિયાન શ્રીજીતે ટિકિટ ફાળવણી અંગે પોતાનો મત રજૂ કર્યો હતો, જેના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે, “બેટા, આપણે તમામ જ્ઞાતિ અને ધર્મને સાથે લઈને ચાલીએ છીએ. માળી સમાજ ના દિગંબર દુર્ગાદેને મેં જિલ્લા બેંકના ચેરમેન બનાવ્યા છે. અમે સુપે જૂથમાંથી ઓબીસી ઉમેદવાર ઉભા રાખ્યા છે, જ્યારે અન્યોએ બીજા જ્ઞાતિના લોકોને ટિકિટ આપી છે.” શ્રીજીતે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, “દાદા, તમને જે યોગ્ય લાગે તે નિર્ણય લો.” આ અજિત પવારના જીવનના છેલ્લા શબ્દો સાબિત થયા.

આ સમાચાર પણ વાંચો : Railway Budget 2026: મુંબઈ-પુણે માત્ર 48 મિનિટમાં! રેલ્વે બજેટ 2026ની 5 સૌથી મોટી જાહેરાતો જે મુસાફરોની કિસ્મત બદલી નાખશે

દુર્ઘટનાની તપાસ અને CID એક્શન

બારામતીમાં થયેલા આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર સીઆઈડી (CID) એ ૩૦ જાન્યુઆરીથી આ કેસની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પણ ટેકનિકલ ખામી કે અન્ય કારણોની તપાસ કરી રહી છે. પુણે ગ્રામીણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કેસ સીઆઈડીને ટ્રાન્સફર કર્યો છે.

અન્ય મૃતકો અને પાયલોટનો અનુભવ

આ દુર્ઘટનામાં અજિત પવાર સિવાય કેપ્ટન સુમિત કપૂર, જેમને 15,000 કલાકનો ઉડ્ડયન અનુભવ હતો, અને સહ-પાયલોટ કેપ્ટન શાંભવી પાઠકનું પણ મોત થયું હતું. આ સિવાય પવારના સુરક્ષા અધિકારી વિદિપ જાધવ અને એર હોસ્ટેસ પિંકી માળી પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અનુભવી પાયલોટ હોવા છતાં વિમાન કેવી રીતે ક્રેશ થયું, તે અત્યારે તપાસનો મોટો વિષય છે.

India-China Trade: ભારત-ચીન વેપાર $155 બિલિયનને પાર, ચીની રાજદૂતે વેપાર સંબંધોને લઈને આપ્યા મોટા સંકેત.
Mumbai BMC Mayor Election 2026: મુંબઈને 11 ફેબ્રુઆરીએ મળશે નવા મેયર; ભાજપ કે શિંદે સેના? કોણ બેસશે BMCની ગાદી પર?
Prabhadevi Murder: ૧૮ વર્ષીય યુવકની ગળું દબાવી કરપીણ હત્યા, કામગાર નગરમાં ભયનો માહોલ
Mumbai Traffic Police: મુંબઈ પોલીસમાં શોકનું મોજું: ઈસ્ટર્ન ફ્રી-વે પર અકસ્માતનો ભોગ બનેલા ટ્રાફિક કોન્સ્ટેબલનું મોત, કાર ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો
Exit mobile version