Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રદૂષણ અટકાવવા નવો કીમિયો, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર. 

મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોને કારણે થતા પ્રદૂષણને રોકવા માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના પર્યાવરણ મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક હશે. આ નિર્ણય પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. 
રાજ્ય સરકારે અગાઉ જ તમામ સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં પરાવર્તિ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પહેલી એપ્રિલ, 2022થી લાગુ થવાનો હતો. જોકે હવે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જાહેરાત કરી છે કે પહેલી એપ્રિલને બદલે હવે આ નિર્ણય પહેલી જાન્યુઆરી, 2022થી અમલમા આવશે. 

આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પર્યાવરણ મંત્રી ઠાકરેએ કહ્યું છે કે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.

મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉપલબ્ધ કરવામાં આવવાના છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી ત્રણ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. હુતાત્મા ચોક પેઇડ પાર્કિંગ, કાલાઘોડા ચોક પેઇડ પાર્કિંગ અને રેમ્પાર્ટ માર્ગ ફૂટપાથ પેઇડ પાર્કિંગ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. ત્રણેય સ્થળોએ પ્રથમ 3 મહિના માટે મફત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ હશે.

Goregaon Creek Cable Bridge મુંબઈના વાહનચાલકોને મોટી રાહત, ગોરેગાવ ખાડી પર બનશે 418 કરોડનો 6લેન કેબલસ્ટેડ બ્રિજ.
RBI action RBIની કડક કાર્યવાહી, મુંબઈની આ બેંક પર લગાવ્યા પ્રતિબંધો, ગ્રાહકો માટે ઉપાડ મર્યાદા નક્કી.
Antop Hill CGS Colony Protest મુંબઈના એન્ટોપ હિલમાં હંગામો રસ્તાના વિવાદમાં ૨૦૦ કેન્દ્રીય કર્મચારીઓ ધરણા પર બેઠા, સ્થાનિક ધારાસભ્ય સામે રોષ
Mulund Builder Fraud FIR ફ્લેટ આપવાના નામે ૧.૫ કરોડની ઠગાઈ મુલુંડના બિલ્ડર સામે ગુનો દાખલ થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફફડાટ
Exit mobile version