Site icon

તો પછી આખરે મુકેશ અંબાણીના ઘરની નીચે ગાડી કેમ‌ હતી? શું કોઈ પોલિટિકલ પાર્ટી ને ડોનેશન જોઈએ છે? મનસુખ હિરણ ની હત્યા કેમ થઈ? 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 માર્ચ 2021 

મનસુખ હિરણ હત્યાકાંડ અને મુકેશ અંબાણી ના ઘર નીચે વિસ્ફોટક સાથે જે ગાડી મળી તેને કારણે અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે આ ગાડી કોણે મુકાવી હતી? શા માટે મુકાવી હતી? હવે જાણો નાટકીય ઘટનાક્રમ. જે વારંવાર બદલાતા રહ્યાં.

૧. મુકેશ અંબાણીના ઘરની નીચે ગાડી મળી તેના માલિક મનસુખ હિરણ ની હત્યા / આત્મહત્યા થઈ.

૨. પહેલાં જે આતંકવાદી સંગઠને જવાબદારી કથીત પણે સ્વીકારી હતી તેણે આખી વાતને રદિયો આપ્યો

૩. આ મામલાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપાઈ.

૪. નાટકીય રીતે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે નું ટ્રાન્સફર થયું.

૫. કેન્દ્ર સરકારે આની તપાસ એનઆઈએને સોંપી.

૬. મહારાષ્ટ્રની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર હંગામો કર્યો અને આરોપ લાગ્યો કે સચિન વઝે નામનો અધિકારી આ હત્યાકાંડમાં સામેલ છે. આ ઉપરાંત શિવ સેનાનો એક પદાધિકારી પણ મનસુખ હિરણ ને ફોન કરતો હતો.

કંપલીટ ડ્રામા : વેબ સીરીઝ કરતા જોરદાર સ્ટોરી. કઈ રીતે સચિન વઝેનું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં આવ્યું. હવે શિવસેનાનું નામ પણ જોડાયું.

હવે સવાલ એ ઉભો થાય છે કે ગાડી કેમ પાર્ક થઇ હતી? 

૧. શું કોઈ મુકેશ અંબાણીના પરિવારને હાની પહોંચાડવામાં માંગતું હતું?

૨. શું કોઈને મુકેશ અંબાણી પાસેથી પૈસા જોઈએ છે?

૩. શું આ પૈસા માંગનાર કોઈ પોલિટિકલ પાર્ટી છે? જે પોલીસ વિભાગ નો ઉપયોગ કરીને અંબાણી પરિવાર ને ડરાવવા માંગે છે.

'પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત….' 

રાહ જુઓ, ઘણી વાર્તાઓ ખુલશે….

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version