Site icon

Pune-Mumbai expressway : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આજે ફરી ‘આ’ સમયગાળા દરમિયાન રહેશે બંધ, ટ્રાફિક ડાયવર્ટ કરાયો..

Pune-Mumbai expressway : પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે આ મેગાબ્લોક લેવામાં આવશે. બે કલાકના આ બ્લોકમાં પુણેની સીમામાં કામશેત ટનલ પાસેની ઢીલી પડેલી તિરાડને દૂર કરવામાં આવશે.

Another landslide on Pune-Mumbai expressway amid mega block

Another landslide on Pune-Mumbai expressway amid mega block

News Continuous Bureau | Mumbai
Pune-Mumbai expressway : મુંબઈ પુણે એક્સપ્રેસ વે(Pune-Mumbai expressway) પર સમારકામના બે દિવસ પછી પણ ભૂસ્ખલન(Landslide) ની ઘટનાઓ બની રહી છે. ગુરુવારે રાત્રે ફરીથી તિરાડ પડી જતાં આ રસ્તો આજે 2 થી 4 વાગ્યા સુધી ફરી બંધ રહેશે. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર આજે ફરી મેગાબ્લોક(block) લેવામાં આવશે. ગુરુવારે રાત્રે કામશેત ટનલ પાસે તિરાડ પડી હતી. રાતે 2 વાગ્યે તિરાડ દૂર કરવામાં આવી હતી. જો કે આ જગ્યાએ અવાર નવાર તિરાડો પડી જવાના કારણે આ રસ્તો સમારકામ માટે આજે 2 થી 4 સુધી બંધ રહેશે.

વાહન વ્યવહાર પ્રભાવિત

મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન સિલસિલો ચાલુ છે. ગુરુવારે જોખમી તિરાડો દૂર કરવા માટે બે કલાક માટે રસ્તો બંધ કરાયો હતો. જો કે, કામશેત ટનલ(Kamshet tunnel) પાસે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ તિરાડ પડતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જેના કારણે મુંબઈ તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો : Dal Palak Recipe : ડિનર અથવા લંચમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી ખાવાની ઈચ્છા હોય તો બનાવો ‘દાળ પાલક’, નોંધી લો આ સરળ રેસિપી..

રાત્રીના સમયે હાઈવે તંત્ર અને આઈઆરબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ રાત્રે 2 વાગ્યે રસ્તો સાફ કર્યો હતો. જો કે, આ જગ્યાએ ફરીથી માટી પડતાં અહીંની એક લેન બંધ થઈ ગઈ હતી. એટલે અહીંની તિરાડનું સમારકામ પૂર્ણ કરવા માટે આજે આ મેગા બ્લોક લેવામાં આવનાર છે.

ટ્રાફિક ડાયવર્ટ

આ મેગાબ્લોક બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે. દરમિયાન, મુંબઈ જતો તમામ ટ્રાફિક કિવલાથી ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રાફિકને જૂના પૂણે મુંબઈ હાઈવે પર રૂટ કરવામાં આવશે અને લોનાવાલા નજીક એક્સપ્રેસ વે સાથે ફરીથી જોડવામાં આવશે. જો કે, પુણે તરફ આવતો ટ્રાફિક સરળ રીતે ચાલુ રહેશે. અગાઉ, સોમવાર અને ગુરુવારે સમાન વિશેષ બ્લોક રાખવામાં આવ્યો હતો. ત્યારે આડોશી ટનલ પાસેની તિરાડ દૂર કરવામાં આવી હતી.

ખર્ચાઓ પર ખર્ચ થાય છે, પરંતુ અકસ્માત ચાલુ રહે છે

પુણે-મુંબઈ એક્સપ્રેસ વેને તૂટી પડતો અટકાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આના પર 65 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, 2015થી આ આંકડો વધીને 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે, એવી માહિતી વિશ્વસનીય સૂત્રોએ આપી છે. રસ્તામાં તિરાડો ન પડે તે માટે પહાડોના શિખરોને જાળીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પરંતુ આ જાળી હલકી ગુણવત્તાની હતી તે રવિવાર (23 જુલાઈ)ની રાત્રે સાબિત થયું હતું. હવે ફરીથી એ જ જગ્યાએ જાળી મૂકવામાં આવી છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version