Site icon

મુંબઈમાં ઓટોરિક્ષાની અછત સર્જાશે? મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી કંટાળીને ઓટોરિક્ષાવાળાનું વ્યવસાયને બાય-બાય. આટલા લોકોએ બીજી નોકરી શોધી કાઢી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 03, માર્ચ 2022,

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈગરાની માનીતી ઓટોરિક્ષા બહુ જલદી મુંબઈના રસ્તા પરથી અદ્રશ્ય થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ને લઈને દંડની જે પોલિસી અમલમાં મૂકી છે, તેનાથી કંટાળી ગયેલા ઓટો રિક્ષાવાળા રીક્ષા ચલાવવાનું છોડીને અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. અત્યાર સુધી 4000થી 6000 ઓટો રિક્ષાવાળાએ પોતાનો વ્યવસાય બદલી નાખ્યો હોવાનો દાવો તેમના યુનિયને કર્યો છે.

ઓટોરિક્ષાવાળાના યુનિયનના કહેવા મુજબ મુંબઈમાં લગભગ 2.20 લાખ જેટલા ઓટોરિક્ષાવાળા છે. તેમાંથી અત્યાર સુધી બેથી ત્રણ ટકા લોકોએ રિક્ષા ચલાવવાનું છોડી દીધું છે. મોટાભાગના લોકો સિક્યોરીટી ગાર્ડ તરીકે અને એપ દ્વારા ચાલતી ખાનગી ટેક્સીમાં ડ્રાઈવર તરીકે જોડાઈ ગયા છે.

રસ્તા પર ઊભા કરેલા આ ટેન્ટ મદદરૂપ કે લોકો માટે અડચણરૂપ, શહેરમાં 100થી વધુ ઠેકાણે ઊભા છે આ ટેન્ટ; જાણો વિગત

યુનિયનના કહેવા મુજબ મહારાષ્ટ્ર સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે. જુદા જુદા નિયમો હેઠળ તેમની હેરાનગતિ થાય છે. તેથી તેઓ કંટાળી ગયા છે. દિવસના માંડ 400થી 500 રૂપિયા કમાઈ રહ્યા છે, જે મહિનાના માંડ 12થી 15 હજાર થાય છે. તેની સામે દર મહિને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ 1500થી 3000 રૂપિયાનો દંડ ભરે છે.

મુંબઈ ઓટોરિક્ષા એન્ડ ટેક્સી યુનિયને કોરોનાને લગતા પ્રતિબંધો હળવા થયા બાદ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત પણ કરી છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version