મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું, કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા. જુઓ ફોટા અને વિડીયો
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણી વર્ષોથીભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ખૂબ નજીકથી સંકળાયેલા છે. કળાકારો શ્રીરામજી અને શ્રી મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું. ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં લાઇવ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવ મેળવવાના સાક્ષી બન્યા હતા. શ્રી રામજી અને શ્રી મોહમ્મદ હારુન સહિતના સ્વદેશ કળાકારોને શ્રીમતી અંબાણી મળ્યા અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી.