Site icon

અરે વાહ શું વાત છે-બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું-દક્ષિણ મુંબઈના તમામ ગણપતિના દર્શન કરાવશે- તમે પણ જવા માંગો છો- જાણો બસનો કાર્યક્રમ અહીં

best bus passengers save time and money with digital service

બેસ્ટ બસ મુસાફરો બન્યા ડિજિટલ, 'ચલો' એપ પર માત્ર આઠ મહિનામાં આટલા લાખનો થયો વધારો..

News Continuous Bureau | Mumbai

બેસ્ટ પ્રશાસને(BEST administration) મુંબઈ શહેરના ગણેશોત્સવને(Ganeshotsav) લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે. આ ઉપક્રમ મુજબ 31 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવના કાર્યક્રમને વેગ મળે તે માટે બેસ્ટ ખાસ બસો દોડાવશે. આ બસ માત્ર અને માત્ર ખ્યાતનામ ગણેશોત્સવ મંડળોની(Ganeshotsava Mandals) વિઝીટ કરાવશે. આ બસમાં ફોર્ટ, ગીરગામ, ખેતવાડી, લાલબાગ, ભાયખલા જેવા અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન(Tourist destination) જોડવામાં આવ્યા છે. જોકે આ સુવિધા રાત્રિના સમયે કાર્યરત રહેશે.

Join Our WhatsApp Community

રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિ એક કલાકે એક બસ દોડશે. આ બસની શરૂઆત ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) થી થશે અને ત્યાંથી નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ, મહર્ષિ કર્વે રોડ(Maharshi Curve Road), ગીરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા જીજામાતા ઉદ્યાન, લાલબાગ, ફરી એકવાર ભાયખલા, ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ અને મરીન લાઈન્સ(Mumbai Central and Marine Lines) થઈને મેટ્રો સિનેમાના(Metro Cinema) રૂટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે.

આ સમાચાર પણ વાંચો : તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત

આ ડબલ ડેકર બસ નું(Double Decker Bus) ભાડું ગ્રાઉન્ડ સીટીગ માટે 75 રૂપિયા અને ઉપરના ડેક માટે 150 રૂપિયા આંકવામાં આવ્યું છે.

વધુ તપાસ માટે બેસ્ટ ની હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાય છે. 

૧૮૨૨૭૫૫૦

૦૨૨-૨૪૧૯૦૧૧૭

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version