Site icon News Continuous Bureau | Mumbai

ભાંડુપમાં આવેલા ડ્રીમ મોલમાં આગ કેવી રીતે લાગી?? મોલમાં ગરદુલાએ જમાવ્યો અડિંગો, ભાજપના આ ભૂતપૂર્વ કોર્પોરેટરે કર્યો ચોંકાવનારો દાવો ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના પૂર્વ ઉપનગર ભાંડુપ વેસ્ટમાં આવેલા ડ્રીમ્સ મોલમાં ગત શુક્રવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. માંડ દસ કલાકે નિયંત્રણમાં આવેલી આગની દુર્ઘટનાના કારણની તપાસ ફાયરબ્રિગેડ કરવાની છે, ત્યારે ભુતપુર્વ સ્થાનિક નગરસેવિકાએ ડ્રીમ મૉલમાં ગર્દુલાઓએ કબજો જમાવી દીધો હોઈ તેઓ આ  આગ માટે જવાબદાર હોઈ શકે છે એવો દાવો કર્યો છે.

Join Our WhatsApp Channel

ઘટનાની જાણ થતા જ ભાજપના વોર્ડ નંબર 112ના ભૂતપૂર્વ નગરસેવિકા સાક્ષી દળવી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બંધ મોલમાં આગ કેવી રીતે લાગી તે અંગે પૂછવામાં આવતા ભૂતપૂર્વ નગરસેવિકાએ કહ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલા આ મૉલમાં આવેલી હૉસ્પિટલમાં ૨૫ માર્ચના આગ ફાટી  નીકળી હતી. આગની દુર્ઘટનામાં ૧૧ના મોત થયા હતા. ત્યારથી ડ્રીમ મૉલ બંધ જ છે. જોકે આ દરમિયાન મૉલમાં ગેરકાયદે રીતે ગર્દુલાઓએ અંડિગો જમાવી દીધો છે, તેથી કદાચ આ આગ લાગી હોઈ શકે એવી શંકા તેમણે વ્યક્ત કરી છે. સાથે જ તેમણે આગની દુર્ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : કંદહાર વિમાન હાઇજેક કાંડમાં સામેલ આતંકવાદીની હત્યા, ખોટી ઓળખ હેઠળ ‘આ’ દેશમાં જીવન ગુજારી રહ્યો હતો ભારતનો દુશ્મન

ઉલ્લેખનીય છે કે આ જ મોલમાં 25 માર્ચ, 2021ના રોજ સનરાઈઝ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગના ધુમાડાને કારણે 9 લોકોના મોત થયા હતા. તેમજ તે હોસ્પિટલમાં દાખલ 2 કોવિડ દર્દીઓના પણ કમનસીબે મોત થયા હતા. ત્યારબાદ આગની તપાસ કરવામાં આવી હતી. ત્યારથી આ મોલ બંધ જ છે. આ દુર્ઘટનાને વર્ષ થવાનું છે ત્યારે જ બરોબર મૉલમાં અચાનક ફરી આગ ફાટી નીકળી હતી. શુક્રવારે સાંજે લાગેલી આગ છેક 10 કલાકે શનિવારે વહેલી સવારના 4.56 વાગે નિયંત્રણમાં આવી હતી.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version