Site icon News Continuous Bureau | Mumbai

Big Jolt To Uddhav: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, પુત્ર આદિત્યના નજીકના રાહુલ કનાલ લેશે શિંદે જૂથની શિવસેનામાં એન્ટ્રી

Big Jolt To Uddhav: મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો થયો ત્યારથી જ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી ઘણા મોટા નેતાઓ પક્ષ બદલી ચૂક્યા છે.

Big Jolt To Uddhav: Big blow to Uddhav Thackeray, Rahul Kanal close to son Aditya will take Shinde group's entry into Shiv Sena.

Big Jolt To Uddhav: Big blow to Uddhav Thackeray, Rahul Kanal close to son Aditya will take Shinde group's entry into Shiv Sena.

News Continuous Bureau | Mumbai

Big Jolt To Uddhav: શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના (CM Eknath Shinde) નેતૃત્વમાં બળવો થયો ત્યારથી, ઉદ્ધવ ઠાકરે જૂથના ઘણા નેતાઓએ પક્ષ બદલ્યો છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે (Aditya Thackeray) ના નજીકના રાહુલ કણાલે (Rahul Kanale) પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. 1 જુલાઈએ મુંબઈમાં શિંદે સરકાર વિરુદ્ધ ભવ્ય મોર્ચો કાઢતા પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો ફટકો કહી શકાય.
રાહુલ કણાલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે થોડા લોકોના ઈશારે તેમની પાર્ટી ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કેટલાક લોકોની સલાહ પર નિર્ણય લે છે અને અન્ય લોકોને પાર્ટીમાં સામેલ રાખવાની ઉદ્ધવની કોઈ ઈચ્છા નથી. રાહુલે કહ્યું કે મને ગયા વર્ષે આવકવેરાની નોટિસ મળી હતી, જેમાં મને ક્લીનચીટ મળી છે. રાહુલે કહ્યું કે શનિવારે (1 જુલાઈ) સાંજે 4 વાગ્યા પછી હું એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈશ અને પછી મીડિયા સાથે વાત કરીશ.

Join Our WhatsApp Channel

1 જુલાઈના રોજ,

શિવસેનાના (UBT) મુખપત્ર સામનાએ શિંદે સરકારની ઝાટકણી કાઢી હતી, અને દાવો કર્યો હતો કે મુંબઈમાં પાણી ભરાઈ જવાથી નિપટવાના તમામ વચનો પ્રથમ મુશળધાર વરસાદમાં ધોવાઈ ગયા છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે દેશદ્રોહીઓ માટે મુંબઈનો અર્થ એટીએમ (ATM) અથવા સોનાનું ઈંડું આપતી મરઘી છે. બીજેપી (BJP) ઈંડા ખાઈ રહી છે અને મોદી-શાહ (Modi- Shah) ની સલાહથી મુખ્યમંત્રીએ મરઘીને કાપીને ખાવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: World Cup 2023: વર્લ્ડ કપ પહેલા આ 7 સ્ટેડિયમ થશે અપગ્રેડ , BCCI દરેક સ્ટેડિયમને  આપશે 50-50 કરોડ રૂપિયા

આ તંત્રીલેખમાં 1લી જુલાઈએ શિંદે સરકાર વિરુદ્ધ ભવ્ય મોર્ચો કાઢવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે, વિરાટ મોરચો થાય તે પહેલા જ પાર્ટીના યુવા નેતા રાહુલ કણાલે શિવસેના (UBT) છોડવાની જાહેરાત કરી હતી. BMCની આગામી ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ એક મોટો ફટકો કહી શકાય.

કોણ છે રાહુલ કનાલ?

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નજીકના મિત્ર અને યુવા સેનાના નેતા રાહુલ કનાલ વ્યવસાયે ઉદ્યોગસાહસિક છે. તે 2024ના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. ગયા વર્ષે CBI એ કનાલના ઘરે દરોડા પાડ્યા હતા. તે જ સમયે, તેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી હતી. જો કે આ મામલે તેને ક્લીનચીટ મળી છે.
રાહુલ કનાલ ‘આઈ લવ ફાઉન્ડેશન’ (I Love Foundation) નામની સામાજિક સંસ્થા પણ ચલાવે છે. કોરોના મહામારી દરમિયાન આ સંસ્થાએ લોકોને ખાદ્યપદાર્થોથી લઈને દવાઓ સુધીની વસ્તુઓ પૂરી પાડી હતી. રાહુલ કનાલ સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી જેવી બોલીવુડની મોટી હસ્તીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version