Site icon

Mumbai Election Campaign : મોદી-યોગી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે… આ અઠવાડિયે મુંબઈમાં ચૂંટણી પ્રચારનો યોજાશે મહા જંગ, મોટા નેતાઓ એકત્ર થવાની સંભાવના..

Mumbai Election Campaign : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં પાંચમા અને અંતિમ તબક્કાની ચૂંટણી પ્રચાર રવિવારથી વેગ પકડશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનીસ, અજિત પવાર, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓ પ્રચાર ક્ષેત્રમાં ઉતરશે.

Big leaders expected to gather for Mumbai election campaign this week Modi-Yogi, Sharad Pawar, and Uddhav Thackeray.

Big leaders expected to gather for Mumbai election campaign this week Modi-Yogi, Sharad Pawar, and Uddhav Thackeray.

News Continuous Bureau | Mumbai

Mumbai Election Campaign : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કા માટે આ અઠવાડિયું ખૂબ જ ખાસ છે, કારણ કે આ અઠવાડિયે ચૂંટણી પ્રચાર માટે દેશભરમાંથી મહારથીઓ પોતપોતાના ઉમેદવારો માટે મત માંગવા મુંબઈ ( Mumbai ) અને આસપાસના વિસ્તારોમાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, બધા જોરશોરથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. 

Join Our WhatsApp Community

લોકસભા ચૂંટણીના ( Lok Sabha Election ) ચોથા તબક્કાનો પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં પાંચમા અને અંતિમ તબક્કાની ચૂંટણી પ્રચાર રવિવારથી વેગ પકડશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનીસ, અજિત પવાર, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓ પ્રચાર ક્ષેત્રમાં ઉતરશે. આ તબક્કામાં 20 મેના રોજ મુંબઈ સહિત 13 લોકસભા સીટો પર મતદાન થશે. આ માટે 18 મે, શનિવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારના ઢોલ બંધ થઈ જશે. આ પહેલા, નેતા મતદારોને આકર્ષવામાં કોઈ કસર છોડશે નહીં.

  Mumbai Election Campaign : મહાવિકાસ આઘાડીમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ પણ તેમની તૈયારી કરી લીધી છે..

મહાવિકાસ આઘાડીમાં ( Maha Vikas Aghadi ) શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ પણ તેમની તૈયારી કરી લીધી છે અને મુંબઈમાં યોજાનારી બેઠકોની ( Lok Sabha Seats ) તપાસ શરૂ કરી છે. જો કે, MNSએ છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં સભા યોજવાની શિવસેના યુબીટીની યોજનાને નિષ્ફળ બનાવી હતી. કારણ કે MNSએ છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં 17 મેની જાહેર સભા માટે મહાનગરપાલિકા પાસેથી પહેલેથી જ પરવાનગી માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મહાવિકાસ આઘાડી તેની સભા માટે હવે વૈકલ્પિક જગ્યા શોધી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election 2024: લોકસભાની 96 બેઠકો પર ચૂંટણી પ્રચાર બંધ, ચોથા તબક્કામાં અખિલેશ, ઓવૈસી સહિત આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર..

આ નેતાઓ ઉપરાંત, મહાયુતિમાંથી બીજેપીના ( BJP ) અન્ય સ્ટાર પ્રચારક એવા અમરાવતીના ઉમેદવાર નવનીત રાણા ( Navneet Rana ) અને મહાવિકાસ આઘાડીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સ્પેશિયલ એપિરિયન્સ સભા થવાની પણ હાલ શક્યતા છે.

મુંબઈમાં મોડેથી ઘોષિત ઉત્તર-મધ્ય મુંબઈ મતવિસ્તારમાં ઝુંબેશ લગભગ ‘બેક-લોગ’ થઈ ગઈ હતી. જો કે, વડેટ્ટીવારે ઉત્તર મધ્ય મુંબઈ મતવિસ્તારના મહાયુતિના ઉમેદવાર વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના નેતા વડેટ્ટીવારે પાયાવિહોણા આક્ષેપો કરીને નિકમની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મુંબઈ આતંકવાદી હુમલામાં આઈપીએસ અધિકારી હેમંત કરકરે પર જે ગોળી ચલાવવામાં આવી હતી તે કોઈ આતંકવાદીની બંદૂકમાંથી નહીં, પરંતુ આરએસએસની વિચારધારા ધરાવતા પોલીસ અધિકારીની બંદૂકમાંથી નીકળી હતી નિકમે કોર્ટમાં આ માહિતી છુપાવી હતી.

 Mumbai Election Campaign : રાજ્યમાં ચોથા તબક્કાનું મતદાન સોમવારે યોજાશે..

દરમિયાન, મુંબઈના ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારમાં મહા વિકાસ આઘાડીના ઉમેદવાર અમોલ કીર્તિકર તેમના કોવિડ કૌભાંડ માટે જાણીતા છે. જેમાં 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી ઈકબાલ મુસાએ કિર્તિકરના અભિયાનમાં આવ્યો હોવાથી તેમની લોકપ્રિયતામાં હજુ વધુ વધારો થયો હતો. તો નવનીત રાણાએ એમઆઈએમના ગઢ હૈદરાબાદમાં જઈને અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો હતો. આથી રાણા મુંબઈ આવ્યા બાદ શું કહેશે તે અંગે હાલ ભારે ઉત્સુકતા જાગી છે.

રાજ્યમાં ચોથા તબક્કાનું મતદાન સોમવાર, 13 મેના રોજ 11 મતવિસ્તારોમાં યોજાશે. જેથી શનિવારે પ્રચાર બંધ થઈ ગયો હતો અને તમામ નેતાઓની નજર હવે મુંબઈ પર છે. જેમાં આગામી શનિવાર, મુંબઈ સાંજે 6 વાગ્યા અહીં પણ તમામ પ્રચારો બંધ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો:  Yamunotri Dham Yatra Crowd: યમુનોત્રી ધામમાં ભીડ એટલી હતી કે સર્જાયો જામ, પરિસ્થિતિ કાબુ બહાર, શ્રદ્ધાળુઓ ભારે પરેશાન.

Mumbai Local 15 Coach Train: મુંબઈ લોકલમાં હવે નો-ટેન્શન! જાણો કેવી છે નવી ૧૫ ડબ્બાની મેક-ઈન-ઈન્ડિયા ટ્રેન, જે એકાએક ઘટાડી દેશે સ્ટેશનો પરની ભીડ.
INS Aridaman Commissioning 2026: ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે ભારત આપશે દુશ્મનોને જડબાતોડ જવાબ: શું છે INS અરિદમનનો એવો પાવર જે સમુદ્રમાં રચશે ઇતિહાસ?.
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Exit mobile version