Site icon

દહીંસર-મીરારોડના રહેવાસીઓ માટે મોટા સમાચાર.. દહીંસર ચેકનાકાના ટ્રાફીક જામથી મળશે છુટકારો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે. 

Join Our WhatsApp Community

મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version