Site icon

દહીંસર-મીરારોડના રહેવાસીઓ માટે મોટા સમાચાર.. દહીંસર ચેકનાકાના ટ્રાફીક જામથી મળશે છુટકારો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે. 

Join Our WhatsApp Community

મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version