Site icon News Continuous Bureau | Mumbai

દહીંસર-મીરારોડના રહેવાસીઓ માટે મોટા સમાચાર.. દહીંસર ચેકનાકાના ટ્રાફીક જામથી મળશે છુટકારો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે. 

Join Our WhatsApp Channel

મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.

Borivali Rape Case બોરીવલીમાં પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા, દિંડોશી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Auto Rickshaw Thief Mumbai મુંબઈમાં સક્રિય ઓટો રિક્ષા ચોર ઝડપાયો ૪ વાહનો કબજે..
Kalyan Irani Basti Police Raid કલ્યાણની ‘ઇરાણી વસ્તી’માં પોલીસનું મેગા ઓપરેશન ૮ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
Dahisar Police Busted Fake ID Card Racket દહીસર પોલીસે બનાવટી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, ૪ ની ધરપકડ
Exit mobile version