Site icon News Continuous Bureau | Mumbai

દહીંસર-મીરારોડના રહેવાસીઓ માટે મોટા સમાચાર.. દહીંસર ચેકનાકાના ટ્રાફીક જામથી મળશે છુટકારો.. જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 નવેમ્બર 2020

ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે. 

Join Our WhatsApp Channel

મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.

ATS Raid Mumbai ISIમુંબઈ અંડરવર્લ્ડ (Underworld) મોડ્યુલ કેસમાં ATSનો મોટો એક્શન, 5થી વધુ ઠેકાણે દરોડા; 4 લોકો અટકાયત
Mira Road Drugs। મીરા રોડ ડ્રગ્સ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી તેલંગાણામાં ચાલતી બે હાઇટેક ફેક્ટરીઓ ઝડપાઈ
Dahisar Crime। દહીસરમાં વાંધાજનક વીડિયો બતાવી મહિલાને બ્લેકમેલ કરનારો નરાધમ ઝડપાયો
Mumbai Cyber Fraud। મુંબઈમાં નિવૃત્ત નાગરિક સાથે ૬.૮૦ કરોડની રેકોર્ડબ્રેક છેતરપિંડી વોટ્સએપ ગ્રુપ અને ફેક વેબસાઇટ દ્વારા આચરવામાં આવ્યું મોટું કૌભાંડ!
Exit mobile version