Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના નેતાએ મુખ્ય પ્રધાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, સાકીનાકા બળાત્કાર પ્રકરણમાં રાજકારણ તપી ગયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

સાકીનાકામાં ગયા અઠવાડિયા થયેલા મહિલાના બળાત્કાર અને હત્યા પ્રકરણમાં હવે પ્રાંતવાદનો  વિષય આવી ગયો છે. પરપ્રાંતીયોને લઈ ફરી એક વખત મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળાત્કારના પ્રકરણ પર બોલતાં સમયે પરપ્રાંતીયોને લઈને કરેલા વિવાદાસ્પદ નિવદેનને ભાજપે વખોડી કાઢયું છે. ભાજપના કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન વિરુદ્ધ  ફરિયાદ નોંધવી છે.

અતુલ ભાતખળકરના કહેવા મુજબ મુખ્ય પ્રધાને બે સમાજ વચ્ચે અંતર ઊભું કરે એવું નિવેદન આપ્યું છે.  સાકીનાકા બળાત્કાર પ્રકરણ બાદ ઉદ્ધવ ઠાકરેએ અન્ય રાજ્યમાંથી આવનારા લોકોની રજિસ્ટરમાં નોંધ રાખવી પડશે. આ લોકો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એના પર નજર રાખવી પડશે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં થતા ગુનાઓમાં પરપ્રાંતીયો જવાબદાર હોવાનો અપ્રત્યક્ષ રીતે કહ્યું હતું. મુખ્ય પ્રધાન થઈને  અન્ય રાજ્યોના લોકો પ્રત્યે વેરભાવ ઊભું કરનારું ભડકાઉ નિવેદન આપ્યું છે. એની ભાજપ સખત નિંદા કરે છે.

ગણેશોત્સવ સ્પેશિયલ : મુંબઈના ગણપતિ મંડપમાં છે ઑલિમ્પિક સ્ટૅડિયમ, તમામ ખેલાડીઓ અને રમતોને વધાવવામાં આવે છે; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે બળાત્કારનો આરોપી ઉત્તર પ્રદેશનો છે. આ પ્રકરણ બાદપોલીસ સાથે ચર્ચા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પરપ્રાંતીય લોકો વિશે પોલીસ પાસે માહિતી માગી હતી. મહારાષ્ટ્રમાં આવતા-જતા લોકોનું રજિસ્ટ્રેશ કરવા બાબતે પણ વાત કરી હતી. એથી ભાજપ ગિન્નાયો છે, ત્યારે અહીં  વાત પણ નોંધનીય છે કે બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવનારા લોકોના નામે રાજ્યમાં ગુનેગારીનું પ્રમાણ વધી ગયું છે. એથી તેમના પર નજર રાખવાની વાત ઉદ્ધવ ઠાકરે કરી હતી, ત્યારે આવી જ માગણી અગાઉ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પણ કરી ચૂક્યા છે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version