Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં કોઈ રાહત નહીં, ભાજપના પ્રસ્તાવને શિવસેના અટકાવ્યું… જાણો પાલિકામાં ચાલી રહેલી ઉંદર બિલાડીની રમત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

શિવસેનાએ વચન આપ્યું હતું કે જે મુંબઈવાસીઓના ઘર 500 ફૂટ થી નાના છે તેમને પ્રોપર્ટી ટેકસમાં થી રાહત આપવામાં આવશે. જોકે આ વચન તેમણે પાળ્યું નહીં.માત્ર પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત આપીને જાન્યુઆરી મહિનાથી લોકોને પ્રોપર્ટી ટેક્સના બિલ પાઠવવાની શરૂઆત કરવામાં આવી.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ માંગણી કરી હતી કે જે મુંબઈવાસીઓને ઘર ૫૦૦ ફૂટ થી 700 ફૂટ ની વચ્ચે ના હોય તેઓને પ્રોપર્ટી ટેક્સ માંથી સંપૂર્ણ રાહત આપવામાં આવે. હવે આ પ્રસ્તાવ સંદર્ભે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે શિવસેનાએ આ પ્રસ્તાવને રોકી દીધો.જેને કારણે ભાજપના નેતાઓ ધુંઆપુંઆ થઇ ગયા. પોતાનો વિરોધ દર્શાવવા તેમણે મીટીંગ નો બહિષ્કાર કર્યો.

આમ શિવસેના અને ભાજપ બંને મતદાતાઓને ગાજર દેખાડતાં સંતાકુકડી ની રમત રમી રહ્યા છે. ક્યારેક કોઈ એક વચન આપે છે તો ક્યારેક બીજો બહાનું બતાવે છે. સરવાળે મુંબઈવાસીઓને કોઈ ફાયદો થતો નથી

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version