Site icon

મુંબઈમાં ત્રીજી લહેરનું જોખમ? BMCએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC), મુલુંડ અને દહિસરમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટર તબક્કાવાર ફરી ચાલુ કરવામાં આવવાનાં છે. મે મહિનામાં આવેલા વાવાઝોડાને કારણે થયેલા નુકસાનને પગલે સમારકામ માટે એને બંધ કરવામાં આવ્યાં હતાં. લગભગ અઢી મહિના સુધી કોવિડ સેન્ટરનું સમારકામ ચાલ્યું હતું. હવે ઑગસ્ટના અંતમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ઊભું થવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એથી તબક્કાવાર આ જમ્બો સેન્ટર ફરી ચાલુ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.

લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસની મંજૂરી માટે મુખ્ય પ્રધાન કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી કોરોનાના કેસમાં ધરમખ વધારો થતાં હૉસ્પિટલો ઉપરનું ભારણ ઓછું કરવા માટે જમ્બો સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં હતાં. એમાં અત્યાર સુધી હજારો દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ દરમિયાન મે મહિનામાં આવેલા વાવાઝોડાને કારણે મોટા પાયા પર સેન્ટરોને નુકસાન થયું હતું. એ સાથે કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો હતો. એથી પાલિકાએ આ સેન્ટરને બંધ કરી દીધાં હતાં અને એ સેન્ટર્સનાં સમારકામ હાથમાં લીધાં હતાં. હવે આ કામ પૂરાં થઈ ગયાં છે, એથી તબક્કાવાર એને ચાલુ કરવાનાં છે.

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version