Site icon

મહાવિકાસ આઘાડી સરકારમાં રહેલા અણબનાવે લીધો બાહોશ સરકારી અધિકારીનો ભોગ; મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરની ફક્ત 12 મહિનામાં જ બદલી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના અને કૉન્ગ્રેસના પ્રધાનો વચ્ચે સતત ખટરાગ જોવા મળી રહ્યો છે. કૉન્ગ્રેસની માગણીને પગલે મહારાષ્ટ્ર સરકારને ઇચ્છા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સંજય જયસ્વાલની બદલી કરવી પડી છે. સંજય જયસ્વાલને મહારાષ્ટ્ર રાજ્ય મત્સ્ય વ્યવસાય વિકાસ મહામંડળમાં મોકલી દેવામાં આવ્યા છે.

મુંબઈ શહેરમાં રસીકરણ ઝડપ પકડી. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. જાણો વિગત.

મુંબઈ પાલિકામાં 9 જૂન, 2020માં ઍડિશનલ કમિશનરપદનો ભાર સ્વીકારનારા સંજય જયસ્વાલ ઉપનગરના પાલકપ્રધાન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના નજીકના અધિકારી ગણાય છે. કોરોના મહામારી વચ્ચે મુંબઈના જમ્બો સેન્ટર સફળતાપૂર્વક ઊભા કરવામાં સંજય જયસ્વાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનો કૉન્ગ્રેસના નેતા સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. કૉન્ગ્રેસ તેમની વિરુદ્ધ થઈ ગઈ હતી. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઇચ્છા ન હોવા છતાં કૉન્ગ્રેસની માગણીને પગલે તેમની ટ્રાન્સફર કરવી પડી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version