Site icon

પાલિકાનો મહત્વનો નિર્ણય : હવે કોરોના ના દર્દીઓ ને મુંબઈ મહાનગરપાલિકાના ઘરે જઈને ચકાસશે અને જરૂરિયાત પ્રમાણે બેડ આપશે.

ન્યૂઝ કન્ટીન્યૂઝ  બ્યુરો.
મુંબઈ , 24 એપ્રિલ 2021.
શનિવાર .
          મુંબઈ મહાનગર પાલિકાના કમિશ્નરે કોરોના દર્દીને સારવાર અર્થે એક નવો નિયમ બનાવ્યો છે. જેના અંતર્ગત રવિવારથી દરેક કોરોના લાક્ષણિક દર્દીઓએ બીએમસી ડૉક્ટર દ્વારા તેમનું મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. 


                     બીએમસી ડૉક્ટર દર્દીના ઘરે જઈને તેમને તપાસશે. દર્દીના ઘર અને ડૉક્ટર વચ્ચેનું સંકલન તે વિસ્તારના વોર્ડ વોર રૂમ મારફત થશે. દરેક વોર્ડમા તબીબી તપાસ માટે 10 વિશેષજ્ઞોની ટિમ સાથે એક એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવશે. કોરોના દર્દીઓની તબીબ તપાસ બાદ તે દર્દીઓની જરૂરિયાત અને મેડિકલ કંડિશનના આધારે તેમને હોસ્પિટલમાં બેડ ફાળવવામાં આવશે.
         કોવિડ દર્દીઓની વધતી સંખ્યાના પગલે દર્દીઓને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. એ રિપોર્ટના આધારે, શુક્રવારે બીએમસી કમિશ્નરે એક ખાસ મિટિંગ યોજી હતી. જેમાં કોરોના દર્દીઓને બેડ માટે અસરકારક વ્યવસ્થાપન કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

હાઇવે પર થઈ ઓક્સીજન ટેન્કર મુદ્દે જિલ્લાના પોલીસ વચ્ચે જીભાજોડી…

    સૂત્રોના જણાવ્યા અનુસાર , બીએમસી ડૉક્ટર દર્દીના ઘરે સવારે 7 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધીના સમયમાં તપાસ આર્થર જશે. પરંતુ જો કોઈ દર્દીને રાતે 11 થી સવારે 7 વાગ્યા સુધી તપાસની જરૂર પડે તો તેમણે જમ્બો કોવિડ સેન્ટરમાં જવું પડશે. તેના એમ્બ્યુલન્સની વ્યસ્થા બીએમસી દ્વારા કરવામાં આવશે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version