Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીમાં મુંબઈ મહાનગરપાલિકાનો ધડાકો : 70 લોકોને 48 કલાકમાં ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી. વધુ લોકોને પણ નોટિસ આપવામાં આવશે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

મુંબઈ મહાનગર પાલિકા તેમજ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા સંયુક્ત રૂપે એસઆરએ યોજના હેઠળ બનાવવામાં આવેલી ઇમારતો સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે હેઠળ કાંદિવલીની વોર્ડ ઓફિસ દ્વારા સાઈ નગર વિસ્તારની ઇમારતો માં એસઆરએ હેઠળ બનેલી ઇમારતો માં નિવાસ કરી રહેલા ૭૦ લોકોને ૪૮ કલાકમાં જ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે.મુંબઈ મહાનગરપાલિકાએ તે લોકોને નોટિસ પાઠવી છે જે ઘર સ્લમના લોકોને એસઆરએ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા અને ઘર માલિકોએ આ ઘરોને બીજા વ્યક્તિને વેચી નાખ્યા. સરકારી નિયમ મુજબ આવા ઘરો દસ વર્ષ સુધી વેચી શકાતા નથી. આથી મહાનગર પાલિકા તેમજ એસ આર એ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને જે લોકો એ ઘર ખરીદ્યા છે તે તમામને હવે ઘર ખાલી કરવા પડશે. આખા મુંબઈ શહેરમાં આવા 80000 ઘર અને આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે.

હાઉસિંગ સોસાયટીઓ સાવધાન : આ તારીખ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહી ભરો તો આટલો દંડ લાગશે, મુંબઈ મહાનગર પાલિકાનું કડક વલણ
 

Traffic Violation Atal Setu અટલ સેતુ પર જોખમી સ્ટંટ પ્રતિબંધ હોવા છતાં રોંગ સાઈડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે બાઈક ચલાવી, નંબર પ્લેટ પણ છુપાવી; જુઓ વિડીયો..
Dindoshi Unauthorized Dargah Demolition દિંડોશીમાં કાયદો અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે દરગાહનું અનધિકૃત બાંધકામ જમીનદોસ્ત
MTNL Bogus Work Order Cable Theft MTNL ના બોગસ વર્ક ઓર્ડરથી ₹૯ લાખના કેબલની ચોરી બે આરોપીઓની ધરપકડ
Goregaon Cyber Fraud ગોરેગાંવમાં યુવતીની ચાલબાજી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને કોલેજિયન યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
Exit mobile version