Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીમાં મુંબઈ મહાનગરપાલિકાનો ધડાકો : 70 લોકોને 48 કલાકમાં ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી. વધુ લોકોને પણ નોટિસ આપવામાં આવશે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

મુંબઈ મહાનગર પાલિકા તેમજ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા સંયુક્ત રૂપે એસઆરએ યોજના હેઠળ બનાવવામાં આવેલી ઇમારતો સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે હેઠળ કાંદિવલીની વોર્ડ ઓફિસ દ્વારા સાઈ નગર વિસ્તારની ઇમારતો માં એસઆરએ હેઠળ બનેલી ઇમારતો માં નિવાસ કરી રહેલા ૭૦ લોકોને ૪૮ કલાકમાં જ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે.મુંબઈ મહાનગરપાલિકાએ તે લોકોને નોટિસ પાઠવી છે જે ઘર સ્લમના લોકોને એસઆરએ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા અને ઘર માલિકોએ આ ઘરોને બીજા વ્યક્તિને વેચી નાખ્યા. સરકારી નિયમ મુજબ આવા ઘરો દસ વર્ષ સુધી વેચી શકાતા નથી. આથી મહાનગર પાલિકા તેમજ એસ આર એ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને જે લોકો એ ઘર ખરીદ્યા છે તે તમામને હવે ઘર ખાલી કરવા પડશે. આખા મુંબઈ શહેરમાં આવા 80000 ઘર અને આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે.

હાઉસિંગ સોસાયટીઓ સાવધાન : આ તારીખ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહી ભરો તો આટલો દંડ લાગશે, મુંબઈ મહાનગર પાલિકાનું કડક વલણ
 

Kalyan Hospital Lost Purse Recovered હોસ્પિટલમાં ખોવાયેલી રોકડ અને દસ્તાવેજો ભરેલી પર્સ પોલીસે મહિલાને પરત કરી
Fake IT Raid Extortion Case આઈટી અધિકારી બનીને વેપારી પાસે ૧ કરોડની ખંડણી માંગનાર નકલી રેકેટનો પર્દાફાશ, અસલી અધિકારીઓ પણ સામેલ
Anti Narcotics Cell Cocaine Seize એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી મુંબઈમાંથી ૬૧ લાખની કિંમતના કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ
Goregaon Friend Murder ગોરેગાંવમાં મિત્રના કપડા અને અંગત ચીજવસ્તુઓ વાપરવા બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા, આરોપી ફરાર
Exit mobile version