Site icon

ગરીબોને ખવડાવવવા પાછળ પાલિકાએ કરેલા ખર્ચામાં પણ ગોલમાલ! કોંગ્રેસે વ્યકત કરી શંકા. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

કોરોના મહામારી દરમિયાન અચાનક લાદી દેવામાં આવેલા લોકડાઉનને પગલે અનેક લોકોના ખાવા-પીવાના વાંધા થઈ ગયા હતા. લોકોએ નોકરી-ધંધા ગુમાવી દીધા હતા. એવા સમયમાં પાલિકા સ્થળાંતરિત કામદારો અને ગરીબ લોકોને  જમવાનું આપતી હતી. આ લોકોને ભોજન આપવા સામે પાલિકાએ લગભગ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.  ગરીબોને ખવડાવા પાછળ કરવામાં આવેલા ખર્ચામાં ગોલમાલ કરવામાં આવ્યો હોવાનો આરોપ પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસે કર્યો છે.

લોકડાઉનમાં રાજય સરકારે સ્થળાંતરિત લોકો અને ગરીબ લોકોને બે ટંકનું ભોજન પૂરું પાડવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો. તે મુજબ લાખો નાગરિકોને ખવડાવવા પાછળ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હોવાનો પાલિકાનો દાવો ખોટો છે. પાલિકાએ જમવા પાછળ વધુ  ખર્ચો બતાવ્યો છે. તેમની પાસે તો અનેક કોન્ટ્રેક્ટરના બિલ પણ નથી એવો આરોપ પણ વિરોધપક્ષ નેતા રવી રાજાએ કર્યો છે.

એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને લાગ્યો ઝટકો, આ દિગ્ગજ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ લોકોને ભોજન ખવડાવવા પાછળ કરેલા ખર્ચાની રકમ રાજય સરકાર ચૂકવવાની હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી સરકાર પાસેથી માત્ર 12 કરોડ રૂપિયા જ મળ્યા છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version