Site icon News Continuous Bureau | Mumbai

500 ફૂટથી ઓછા ક્ષેત્રફળ વાળા ઘર માલીકોને મુંબઈ મહાનગરપાલિકાનો ઠેંગો.. પ્રોપર્ટી ટેક્સમાં કોઈ માફી નહીં મળે.. ઉલટો કર વધશે.. પણ કેમ તે જાણો અહીં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

04 જાન્યુઆરી 2021 

મુંબઇમાં 500 ચોરસ ફૂટથી ઓછી કિંમતના ઘરમાં રહેનારા લોકોએ ટૂંક સમયમાં ઊંચો સંપત્તિ કર ભરવો પડશે. પાછલા વર્ષ કરતા આ વર્ષના કર આકારણી અંગે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે કહ્યું કે "રાજ્યની વિધાનસભાએ બીએમસી એક્ટમાં સુધારો કરતી વખતે માત્ર સામાન્ય ટેક્સ માફ કરવાની મંજૂરી આપી હતી. 

આથી સમાજ ફેર થતા ફક્ત સામાન્ય ટેક્સ માફ કરવાને બદલે, અમે અન્ય સાત ઘટકોને પણ માફ કરી દીધા. આ વર્ષે અમને અમારી ભૂલનો અહેસાસ થયો અને સરકારને તેના વિશે જાણ કરી દીધી છે. 

 

શહેરમાં 1.85 લાખ આવાસ એકમો છે જે કદમાં 500 ચોરસફૂટથી પણ ઓછા છે. બીએમસી આ એકમો પાસેથી મિલકત વેરા તરીકે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ તરીકે 360 કરોડની આવક મેળવે છે, જેમાં સામાન્ય કર સહિત અન્ય સાત પ્રકારના ટેક્સ પણ છે. અન્ય સાત ઘટકોને માફ કરવા માટે BMC એ 285 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. જે યુનિટ દીઠ આશરે રૂ. 150 થશે. 

ચહલે કહ્યું કે બીએમસી ગયા વર્ષે માફ કરાયેલી વધુ રકમની રિકવરી કરવાનું વિચારી રહ્યું છે. આથી હજી નિર્ણય લેવાનો બાકી છે કે બાકી લેણાં કઈ તારીખ સુધીમાં વસૂલાત કરવામાં આવશે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version