Site icon News Continuous Bureau | Mumbai

500 ફૂટથી ઓછા ક્ષેત્રફળ વાળા ઘર માલીકોને મુંબઈ મહાનગરપાલિકાનો ઠેંગો.. પ્રોપર્ટી ટેક્સમાં કોઈ માફી નહીં મળે.. ઉલટો કર વધશે.. પણ કેમ તે જાણો અહીં.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

04 જાન્યુઆરી 2021 

મુંબઇમાં 500 ચોરસ ફૂટથી ઓછી કિંમતના ઘરમાં રહેનારા લોકોએ ટૂંક સમયમાં ઊંચો સંપત્તિ કર ભરવો પડશે. પાછલા વર્ષ કરતા આ વર્ષના કર આકારણી અંગે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે કહ્યું કે "રાજ્યની વિધાનસભાએ બીએમસી એક્ટમાં સુધારો કરતી વખતે માત્ર સામાન્ય ટેક્સ માફ કરવાની મંજૂરી આપી હતી. 

આથી સમાજ ફેર થતા ફક્ત સામાન્ય ટેક્સ માફ કરવાને બદલે, અમે અન્ય સાત ઘટકોને પણ માફ કરી દીધા. આ વર્ષે અમને અમારી ભૂલનો અહેસાસ થયો અને સરકારને તેના વિશે જાણ કરી દીધી છે. 

 

શહેરમાં 1.85 લાખ આવાસ એકમો છે જે કદમાં 500 ચોરસફૂટથી પણ ઓછા છે. બીએમસી આ એકમો પાસેથી મિલકત વેરા તરીકે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ તરીકે 360 કરોડની આવક મેળવે છે, જેમાં સામાન્ય કર સહિત અન્ય સાત પ્રકારના ટેક્સ પણ છે. અન્ય સાત ઘટકોને માફ કરવા માટે BMC એ 285 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. જે યુનિટ દીઠ આશરે રૂ. 150 થશે. 

ચહલે કહ્યું કે બીએમસી ગયા વર્ષે માફ કરાયેલી વધુ રકમની રિકવરી કરવાનું વિચારી રહ્યું છે. આથી હજી નિર્ણય લેવાનો બાકી છે કે બાકી લેણાં કઈ તારીખ સુધીમાં વસૂલાત કરવામાં આવશે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version