Site icon

કાંદિવલીની સોસાયટીના બોગસ રસી મેળવનાર સભ્યોનું મહાનગર પાલિકા કરશે રસીકરણ; આવતી કાલથી શરૂ થશે રસીકરણ અભિયાન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

કાંદિવલી પશ્ચિમમાં હિરાનંદાની હેરિટેજ હાઉસિંગ સોસાયટીમાં બનાવટી રસીકરણમાં છેતારાયેલા નાગરિકોને બીએમસી દ્વારા આવતી કાલે રસી મુકવામાં આવશે. આ માટે શનિવાર કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં એમેનિટી માર્કેટ મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્ર ખાતે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, પાલિકાને મુંબઈમાં અત્યાર સુધીમાં થયેલા 9 બનાવટી રસીકરણમાં કેસમાં છેતરાયેલા લોકોની યાદી પોલીસ પાસેથી મળી છે.

પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતીને આધારે શંકાસ્પદ નાગરિકોની સૂચિ પોલીસ દ્વારા મ્યુનિસિપલ વહીવટને સોંપવામાં આવી છે. આ નાગરિકોની માહિતી કોવિન વેબસાઇટ પર મોબાઈલ નંબરના આધારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા ચકાસવામાં આવી રહી છે. નકલી અને અનધિકૃત રીતે ખાનગી સ્તરે રસી અપાયેલા આ તમામ નાગરિકોને યોગ્ય રસી પૂરી પાડવાની જરૂર છે તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી પણ માંગવામાં આવી છે.

BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કાંદિવલીની હિરાનંદાની સોસાયટી દ્વારા 30 મે, 2021ના ​​રોજ ખાનગી રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે આ રસી નકલી અને અનધિકૃત રીતે કરવામાં આવી હતી. આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version