News Continuous Bureau | Mumbai
મુંબઈમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લાખો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. સામાન્ય વરસાદમાં પણ આ વ્યસ્ત અંડરપાસ બંધ કરવો પડે છે. આ ક્રોનિક ફ્લડિંગ સ્પોટના કાયમી ઉકેલ માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ એક ભવ્ય અને મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. પાલિકા પ્રશાસન દ્વારા અંધેરી સબવેને પૂરમુક્ત બનાવવા માટે ₹750 કરોડનો એક મોટો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટે અત્યાધુનિક ઇજનેરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
Andheri Subway Flooding Solution – મિલન સબવેની જેમ અંધેરીમાં પણ બનશે વિશાળ અંડરગ્રાઉન્ડ હોલ્ડિંગ પોન્ડ
બીએમસીના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના મુખ્ય ભાગ રૂપે અંધેરી સબવેની આસપાસના વિસ્તારમાં વિશાળ અંડરગ્રાઉન્ડ હોલ્ડિંગ પોન્ડ એટલે કે પાણી સંગ્રહ કરવા માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવશે. જ્યારે પણ મુંબઈમાં ભારે વરસાદ અને હાઈ ટાઈડની સ્થિતિ હશે, ત્યારે સબવેમાં ભરાતું વધારાનું પાણી પંપ દ્વારા આ ટાંકીઓમાં ડાયવર્ટ કરવામાં આવશે. પાલિકાએ આ માટે અંધેરીના ડૉ. આંબેડકર ગાર્ડન, જોગેશ્વરી અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીકની જમીનોની પસંદગી કરી છે. આ હોલ્ડિંગ પોન્ડ્સ આશરે 41,000 ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવશે.
Andheri Subway Flooding Solution -મોગરા નાળાનું ડાયવર્ઝન અને ડ્રેનેજ લાઈનની ક્ષમતા બમણી કરાશે
અંધેરી સબવેની નીચેથી પસાર થતું મોગરા નાળું ચોમાસામાં ઓવરફ્લો થવાને કારણે સબવેમાં ઝડપથી પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ₹250 કરોડના ખર્ચે મોગરા નાળાના પ્રવાહને ડાયવર્ટ કરવામાં આવશે અને સબવેથી ભારદાવડી નાળા સુધી 1 કિલોમીટર લાંબી નવી બોક્સ ડ્રેન લાઈન નાખવામાં આવશે. આ ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, આ વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતા દર કલાકે 50 મીમી વરસાદથી વધારીને 100 મીમી વરસાદ સહન કરી શકે તેવી કરવામાં આવશે.
Andheri Subway Flooding Solution – તત્કાલીન રાહત તરીકે 950 થી વધુ હાઈ-કેપેસિટી પંપ તૈનાત
લાંબા ગાળાના આ પ્રોજેક્ટ માટે ગીચ વસ્તીવાળા અંધેરી વિસ્તારમાં જમીન સંપાદનનું કામ એક મોટો પડકાર છે. આથી, ચાલુ ચોમાસા દરમિયાન મુસાફરોને તાત્કાલિક રાહત આપવા માટે બીએમસી અને રેલવેએ સંયુક્ત રીતે મુંબઈભરમાં 950 થી વધુ હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ તૈનાત કર્યા છે, જેમાંથી અંધેરી સબવે ખાતે ખાસ આધુનિક આઈઓટી આધારિત પંપ લગાવવામાં આવ્યા છે. આ પંપ સ્માર્ટફોન અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ દ્વારા રીઅલ-ટાઇમ મોનિટર કરી શકાશે, જેથી પાણી ભરાતાની સાથે જ તેનો ઝડપી નિકાલ કરી ટ્રાફિક જામની સમસ્યાને નિવારી શકાય.
👉 આ સમાચાર વાચો:
Mumbai Fire Brigade Alert દિલ્હીની દુર્ઘટનાથી બોધપાઠ મુંબઈમાં હોટેલો અને રેસ્ટોરન્ટ્સનું ફાયર ઓડિટ શરૂ, બેદરકારી દાખવનારની ખેર નથી!
