Site icon

 મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

વર્ષોથી વેસ્ટર્ન સબર્બમાં અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં પાણીની મોકાણ રહી છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં રહેલી પાણીની જૂની પાઇપલાઇન બદલી નાખવાનો નિર્ણય લીધો છે. એને પગલે અંધેરીથી દહિસર સુધીના વિસ્તારના રહેવાસીઓને પૂરતું પાણી મળી શકશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકા આ યોજના પાછળ લગભગ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

સારા સમાચાર : ભારતને મળ્યું આ ચેમ્પિયનશિપનું યજમાન પદ, વર્ષ 2009 પછી પહેલી વાર થશે આવું ; જાણો વિગતે

મુંબઈ મહાનગરપાલિકા અંધેરીથી દહિસર સુધીના વિસ્તારમાં આવેલી જૂની અને જીર્ણ થઈ ગયેલી પાણીની પાઇપલાઇન બદલી નાખવાની છે. લગભગ 30 જગ્યાએ પાઇપલાઇન બદલવામાં આવશે. એમાં 80 મિલીમીટર વ્યાસથી 450 મિલીમીટર વ્યાસની પાઇપલાઇનનો સમાવેશ થાય છે.

વર્ષો જૂની પાઇપલાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણીના ગળતરની તકલીફ રહી છે. અમુક જગ્યાએ પાણીની લાઇન જૂની થઈ ગઈ છે, તો અમુક જગ્યાએ સિમેન્ટ કોંક્રીટના રસ્તા નીચે પાઇપલાઇન દબાઈ ગઈ છે. એથી દૂષિત પાણીની સાથે ગળતરની ફરિયાદ રહેતી હોય છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version