Site icon

મુંબઈમાં પાણીની ચોરીને અટકાવવા માટે BMCએ લીધો આ નિર્ણય; ખર્ચશે આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

એક તરફ મુંબઈગરા ભરઉનાળામાં પાણીકાપનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રતિદિન લાખો લિટર પાણી ચોરાઈ જતું હોય છે. તેથી પાઇપલાઇન માંથી પાણીની ચોરી અટકાવવા માટે પાલિકાએ પાઈપલાઈનની આજુબાજુમાં આરીસીસીની દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મુંબઈને પાણી પુરવઠો થાણે જિલ્લામાંથી કરવામાં આવે છે. જોકે આ દરમિયાન મુંબઈ તરફ આવતી પાણીની પાઈપલાઈનમાં ઠેકઠેકાણે ભંગાણ પાડીને પાણીની ચોરી કરવામાં આવતી હોય છે.

પાલિકાના પાણી પુરવઠા ખાતાને તપાસ દરમિયાન ભિવંડીના પોગામમાં સેફટી વોલ તોડીને મોટા પ્રમાણમા પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ પાઈપલાઈનને લાગીને આરસીસી દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : કયા બાત હેં! ઈતિહાસ ફરી જીવંત કરાશે, મુંબઈ કિલ્લાના સવંર્ધન માટે 100 કરોડ રૂપિયા ખર્ચાશે. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર પર ડે જેટલો પાણી પુરવઠો પૂરો પાડવામાં  આવે છે. જોકે મુંબઈગરાના ઘર સુધી પહોંચતા તેમાં 20થી 30 ટકા પાણી ગળતર અને ચોરાઈ જતું હોય છે. તેમાં પાઈપલાઈનમાં ભંગાણ પાડીને પાણી ચોરવાનું પ્રમાણ વધારે છે. 

મુંબઈમાં પાણી ચોરી પર મોટાભાગે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી છે. પરંતુ થાણે જિલ્લાથી આવતી પાઈપલાઈનથી પાણીની ચોરી થતી અટકાવવી પાલિકાને શકય બન્યું નથી. તેથી હવે તેના ઉપાયરૂપે આરસીસી દિવાલ બાંધ

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version