Site icon

પાણીની, રસ્તાની કે પછી કચરાની સમસ્યા છે ? તો ફોન કરો પાલિકાની હેલ્પલાઈન પરઃ નગરસેવકનું કામ કરશે હેલ્પલાઈન. જાણો કઈ રીતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર,

ઘરમાં, સોસાયટી, ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી નથી આવતું, ગટરો ભરાઈ ગઈ છે એવી અનેક સમસ્યાઓની ફરિયાદ હવે મુંબઈગરા પોતાના નગરસેવકોને બદલે પાલિકાને સીધી જ કરી શકશે.મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની મુદત 7 માર્ચ 2022ના પૂરી થઈ રહી છે. તેથી નગરસેવકોની ગેરહાજરીમાં નાગરિકોની સુવિધા માટે પાલિકા પ્રશાસન જ સીધી નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવશે. તે માટે પાલિકા પોતાના 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરી આપવાની છે. 

સાત માર્ચના નગરસેવકોની મુદત પૂરી થવાની સાથે જ આઠ માર્ચથી પાલિકાનો કારભાર સંભાળવાની જવાબદારી  એડમિનિસ્ટ્રેશનની હશે. પાલિકાની ચૂંટણી થઈને નવા નગરસેવકો ચૂંટાઈ નહીં ત્યાં સુધી નાગરિકોને પોતાની ફરિયાદો પાલિકાને સીધી જ કરવાની રહેશે. તે માટે નાગરિકો પાલિકાનો 1916 ટોલ ફ્રી નંબર પર તો સંપર્ક કરી જ શકશે. પરંતુ એ સાથે જ 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ થશે.

મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે… 

સામાન્ય રીતે દરેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સુવિધા માટે અને ફરિયાદ કરવા માટે નગરસેવક જ હોય છે. તેથી પાણીની સમસ્યા હોય કે કચરાની સમસ્યા, લાઈટ, મલનિસારણ, રસ્તા જેવી કોઈ પણ ફરિયાદ નાગરિકો નગરસેવકોને જ કરતા હોય છે.
કોરોનાને કારણે પાલિકાની ચૂંટણી લંબાઈ ગઈ છે. તેથી જ્યાં સુધી ચૂંટણી થતી નથી અને નગરસેવકો તેમ જ પાલિકાની જુદી જુદી વૈદ્યાનિક કમિટીની રચના થતી નથી, ત્યાં સુધી એડમિનિસ્ટર જ પાલિકાનો કારભાર સંભાળશે અને નાગરિકોની ફરિયાદ સીધી પાલિકા પ્રશાસન જ કાને ધરશે.

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version