Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વૅક્સિન લેવાથી દૂર ભાગનારાને ઘરે જઈને વૅક્સિન આપવામાં આવશે? મુંબઈ મનપાએ બનાવી આ યોજના. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મુંબઈમાં 100 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હોવાનો મુંબઈ મનપાનો દાવો છે. જોકે તેમાં 10 ટકા મુંબઈ બહારના હોવાનું કહેવામાં આવે છે. તેથી હજી સુધી વેક્સિન નહીં લેનારાઓને  શોધીને તેમને વેકિસન આપવા માટે મુંબઈ મનપાએ યોજના બનાવી છે. જે હેઠળ પાલિકાએ આવા લોકોના ઘરે જઈને તેમને વેક્સિન આપવાની છે. પાાલિકાના અધિકારીના કહેવા મુજબ મુખ્યત્વે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હજુ પણ અનેક લોકોએ વેક્સિન લીધી નથી. તેથી આવા વિસ્તારમાં કેમ્પ રાખીને લોકોને વેક્સિન આપવામાં આવવાની છે. તો આવા લોકોને શોધીને તેમના ઘર સુધી પહોંચીને આવા લોકોને પણ વેક્સિન આપવામાં આવવાની છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ  વેક્સિનેશન ઝડપી થાય તે માટે "હર ઘર દસ્તક" આ ઝુંબેશ ચલાવવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં હાલ 461 સેન્ટર પર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં 13 નવેમ્બર સુધી 18 વર્ષથી ઉપર પાત્રતા ધરાવતા 92,36,500 લોકોને વેકિસન આપી દેવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આખરે કારશેડનું ગુંચડું ઉકેલાયુઃ એક જ જગ્યાએ બનશે આ બે મેટ્રો રેલવેનું કાર શેડ. જાણો વિગત.

Worli Politics। વરલીમાં ભાજપના ‘જન આક્રોશ મોરચા’ના આયોજકો સામે કેસ દાખલ, નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસનું કડક વલણ
Cyber Crime। ‘મહાનગર ગેસ’ના નામે નકલી APK ફાઈલ મોકલી લાખોની ઠગાઈ; મુંબઈ સાયબર પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપ્યા
MumbaiPune Expressway। મુસાફરો સાવધાન! મુંબઈપુણે એક્સપ્રેસ વે પર મેગા બ્લોકને કારણે બદલાશે રૂટ, અહીં જુઓ સંપૂર્ણ પ્લાન.
Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Exit mobile version