Site icon News Continuous Bureau | Mumbai

આઘાતજનક : મુંબઈમાં ચાર દિવસમાં જ 90 કરતાં વધુ મૃત્યુ, મુંબઈ મહાનગરપાલિકા કરશે મૃત્યુના કારણનો અભ્યાસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે મૃત્યુનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. એથી મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. ચાર દિવસમાં જ મુંબઈમાં 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અચાનક મૃત્યુઆંક વધી જવાથી પાલિકાએ હવે મૃત્યુ પાછળના કારણનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. એથી મૃત્યુઆંક પણ નીચે આવવાની શક્યતા હતી. જૂનમાં મૃત્યુમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં દૈનિક 53 મૃત્યુની સરેરાશ સાથે કુલ 1,657 મૃત્યુ નોંધાયાં હતાં. જૂનમાં મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું હતું. જૂનના પહેલા પખવાડિયામાં દૈનિક સરેરાશ મૃત્યુ દર 22 હતો જે બીજા પખવાડિયામાં ઘટીને 15 થઈ ગયો હતો. જોકે છેલ્લા ચાર દિવસમાં અચાનક ફરી મૃત્યુનું પ્રમાણ  વધી ગયું છે. 30 જૂનથી 3 જુલાઈ સુધીમાં શહેરમાં 94 મૃત્યુ થયાં હતાં.

ડોકટરોની સામે એક નવી સમસ્યા ; મુંબઈમાં બ્લેક ફંગસ બાદ હવે નવા રોગની દસ્તક, શહેરમાં નોંધાયા આટલા કેસ 

એનાથી ચિંતિત પાલિકાએ જોકે હવે આ પાછળનું કારણ જાણવાની છે. એ માટે ચાર દિવસમાં થયેલાં મૃત્યુનાં કારણોનું વિશ્લેષણ કરવાની છે.

Traffic Violation Atal Setu અટલ સેતુ પર જોખમી સ્ટંટ પ્રતિબંધ હોવા છતાં રોંગ સાઈડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે બાઈક ચલાવી, નંબર પ્લેટ પણ છુપાવી; જુઓ વિડીયો..
Dindoshi Unauthorized Dargah Demolition દિંડોશીમાં કાયદો અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે દરગાહનું અનધિકૃત બાંધકામ જમીનદોસ્ત
MTNL Bogus Work Order Cable Theft MTNL ના બોગસ વર્ક ઓર્ડરથી ₹૯ લાખના કેબલની ચોરી બે આરોપીઓની ધરપકડ
Goregaon Cyber Fraud ગોરેગાંવમાં યુવતીની ચાલબાજી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને કોલેજિયન યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
Exit mobile version