Site icon News Continuous Bureau | Mumbai

આઘાતજનક : મુંબઈમાં ચાર દિવસમાં જ 90 કરતાં વધુ મૃત્યુ, મુંબઈ મહાનગરપાલિકા કરશે મૃત્યુના કારણનો અભ્યાસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. જોકે મૃત્યુનું પ્રમાણ ઘટવાને બદલે વધી રહ્યું છે. એથી મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. ચાર દિવસમાં જ મુંબઈમાં 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અચાનક મૃત્યુઆંક વધી જવાથી પાલિકાએ હવે મૃત્યુ પાછળના કારણનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. એથી મૃત્યુઆંક પણ નીચે આવવાની શક્યતા હતી. જૂનમાં મૃત્યુમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં દૈનિક 53 મૃત્યુની સરેરાશ સાથે કુલ 1,657 મૃત્યુ નોંધાયાં હતાં. જૂનમાં મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું હતું. જૂનના પહેલા પખવાડિયામાં દૈનિક સરેરાશ મૃત્યુ દર 22 હતો જે બીજા પખવાડિયામાં ઘટીને 15 થઈ ગયો હતો. જોકે છેલ્લા ચાર દિવસમાં અચાનક ફરી મૃત્યુનું પ્રમાણ  વધી ગયું છે. 30 જૂનથી 3 જુલાઈ સુધીમાં શહેરમાં 94 મૃત્યુ થયાં હતાં.

ડોકટરોની સામે એક નવી સમસ્યા ; મુંબઈમાં બ્લેક ફંગસ બાદ હવે નવા રોગની દસ્તક, શહેરમાં નોંધાયા આટલા કેસ 

એનાથી ચિંતિત પાલિકાએ જોકે હવે આ પાછળનું કારણ જાણવાની છે. એ માટે ચાર દિવસમાં થયેલાં મૃત્યુનાં કારણોનું વિશ્લેષણ કરવાની છે.

Mumbra Father Son Attack મુંબ્રામાં પિતાપુત્રનો સંબંધ કલંકિત પારિવારિક ઝઘડામાં પુત્રએ વૃદ્ધ પિતા પર કર્યો ચપ્પુથી જીવલેણ વાર, હિંસક હુમલો કરી નરાધમ ફરાર
Central Railway Block મુંબઈ લોકલ ટ્રેન મુસાફરો માટે એલર્ટ CSMTકુર્લા વચ્ચેના બ્લોકને કારણે ટ્રેન સેવા પ્રભાવિત
Navi Mumbai Metro Expansion નવી મુંબઈ મેટ્રોને મોટી ભેટ મેટ્રો૧ એ અને ૨ ના નિર્માણને મળી મંજૂરી, રૂ. ૫,૫૭૫ કરોડનો પ્રોજેક્ટ
Aqua Line Mobile Network હવે એક્વા લાઈનમાં પણ મળશે કનેક્ટિવિટી! ૧૬ સ્ટેશનો પર મોબાઈલ નેટવર્ક સેવા શરૂ
Exit mobile version