Site icon News Continuous Bureau | Mumbai

ક્લાસિફાઈડ સમીર વાનખેડેના પિતાની અરજી પર હાઈકોર્ટે આ નેતાને ફટકારી કારણદર્શક નોટિસ, જાણો વિગતે.. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022     

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રના મંત્રી  નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી છે. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજીની સુનાવણી બાદ કોર્ટે મંત્રી મલિકને આ નોટિસ જારી કરી છે. 

જ્ઞાનદેવે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ગત ડિસેમ્બરમાં મલિકે કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું કે તે સોશિયલ મીડિયા અને જાહેરમાં તેના પરિવાર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો નહીં કરે, પરંતુ મલિક સતત આવું કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે જ્ઞાનદેવે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version