Site icon

બોરીવલી લિંકરોડ-હાઈવે ને જોડતો ફ્લાયઓવર આટલા સમયમાં પુરો થઈ જશે અને ખુલ્લો મૂકાશે… જાણો વિગતે.

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આખરે વર્ષો જૂની બોરીવલીના એસ.વી.રોડની ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને છુટકારો મળવાનો છે. બહુ જલદી બોરીવલીનો કોરાકેન્દ્રનો ફ્લાયઓવર ખુલ્લો મુકાવાનો છે. આ પુલનું 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. ચોમાસા પહેલા  આ પુલ  ટ્રાફિક માટે ખોલી દેવાની પાલિકાની યોજના હોવાનું કહેવાય છે.

એસ.વી. રોડના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે કોરાકેન્દ્ર ફ્લાયઓવર નું લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે. આ પુલના બાંધકામ પાછળ અત્યાર સુધી 150 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

પાલિકાના અધિકારીના કહેવા મુજબ હાલ આ ફ્લાયઓવરના અનેક નાના-મોટા કામ ચાલી રહ્યા છે. આ પુલ પર આકર્ષક લાઈટ પણ બેસાડવામાં આવવાની છે, જે મુંબઈના સૌંદર્યમાં વધારો કરવાની છે.

પાલિકા દ્વારા તમામ પુલના સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને આવશ્યક ઠેકાણે સમારકામ અને નવા પુલના બાંધકામ કરી રહી છે. જેમાં બોરીવલીના કોરા કેન્દ્રનો પુલ લિંક રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસ તરફથી જાય છે. તેથી કલ્પના ચાવલા ચોક સિવાય સતત વાહનોની ભીડ રહેતા બે જંકશન ટાળીને ટ્રાફિકનું વિભાજન કરવું મહત્વનું રહેશે. આ પુલને કારણે લિંક રોડથી બોરીવલી વેસ્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. આ ફ્લાયઓવર 900 મીટર લાંબો અને ચાર લેનનો છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version