Site icon News Continuous Bureau | Mumbai

હવે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ – નેરળ માત્ર 30 મિનિટમાં પહોંચાશે, આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ થયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બહુ જલદી મુંબઈ અને નવી મુંબઈ દરમિયાન બોટની સેવા ચાલુ કરવામાં આવવાની છે. એક વખત બોટ સેવા ચાલુ થયા બાદ ભાઉચા ધક્કાથી નેરળ ફક્ત 30 મિનિટમાં પહોંચી શકાશે. જળમાર્ગે હાલ ભાઉચા ધક્કાથી નેરળ સુધીનું અંતર 11 નોટિકલ માઈલ્સ એટલે કે 20.3 કિલોમીટર જેટલું થાય છે. ચાર ઑક્ટોબરથી આ જળમાર્ગનું પરીક્ષણ ચાલુ થવાનું છે. ત્યાર બાદ ડિસેમ્બર 2021થી આ માર્ગ પર બોટ સેવા ચાલુ થઈ જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ આ સેવા મે 2020માં ચાલુ થવાનું અપેક્ષિત હતું. પરંતુ કોરોના મહામારીનો ફટકો આ પ્રોજેક્ટને પડ્યો જ હતો. એ સાથે જ જુદી જુદી મંજૂરી મળવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. અગાઉ આ બોટ સેવા ચાલુ કરવાની અંતિમ મુદત મે 2021 કરવામાં આવી હતી. પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર 2021 કરી નાખવામાં આવી છે.

ઇતિહાસમાં ડોકિયું : જો ભારતે અફઘાનિસ્તાનનો એ પ્રસ્તાવ માની લીધો હોત તો આજે ભારતનો નકશો કંઈક અલગ હોત

Join Our WhatsApp Channel
Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version