News Continuous Bureau | Mumbai
Byculla Zoo: જેમ જેમ વર્ષનો અંત નજીક આવી રહ્યો છે અને શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે. તેમ તેમ મુંબઈ ( Mumbai ) ના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય ( Zoo ) માં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ત્રણ નવજાત હમ્બોલ્ટ પેંગ્વીન ( Humboldt Penguins ) છે. આ એ જ ભાયખલા પ્રાણી સંગ્રહાલય ( Byculla Zoo ) છે, જ્યાં 15 ઓગસ્ટ, 2018ના રોજ ભારતના પ્રથમ હમ્બોલ્ટ પેંગ્વિનનો જન્મ થયો હતો.
ઉલ્લેખનીય છે કે 2016માં મુંબઈના એક જ પ્રાણી સંગ્રહાલયમાં દક્ષિણ કોરિયાથી ( South Korea ) આઠ પેન્ગ્વિન લાવવામાં આવ્યા હતા. આ ઝૂમાં પેન્ગ્વિનની કુલ સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે. રાણી બાગ તરીકે ઓળખાતા આ પ્રાણી સંગ્રહાલયે 19 નવેમ્બરે 160 વર્ષ પૂર્ણ કર્યા હતા.
#WATCH मुंबई का वीरमाता जीजाबाई भोसले उद्यान चिड़ियाघर 3 नए बेबी पेंगुइन के जन्म के बाद आकर्षण का केंद्र बन गया है। (22.11) pic.twitter.com/IgrpUA9Apz
— ANI_HindiNews (@AHindinews) November 22, 2022
એક પેંગ્વિનએ બે નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો..
ભાયખલાના આ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ નવા પેંગ્વીન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ( center of attraction ) બન્યા છે. આ ત્રણના નામ છે ફ્લેશ, બિન્ગો અને એલેક્સા. ભાયખલા પ્રાણીસંગ્રહાલયના જીવવિજ્ઞાની અને પીઆરઓ ડૉ. અભિષેક સાટમે ન્યૂઝ એજન્સી ANI સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, “તાજેતરમાં, એક પેંગ્વિનએ બે નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા બચ્ચાને એલેક્સા નામ આપવામાં આવ્યું હતું અને બંને નર બચ્ચા હતા. નામ એલેક્સા, ફ્લેશ અને બિન્ગો નામ આપવામાં આવ્યું.”
આ સમાચાર પણ વાંચોઃ Elon Musk: એલોન મસ્કની X ને આવ્યો મસમોટું નુકસાન વેઠવાનો વારો…એક ટ્વિટને કારણે આટલા મિલિયન ડોલરનું નુકસાન! જાણો કારણ
વર્ષની આ સિઝનમાં મુલાકાતીઓની વધતી સંખ્યા અંગે ડૉ. સાટમે જણાવ્યું કે, પ્રાણી સંગ્રહાલયના પીઆરઓએ જણાવ્યું કે પેન્ગ્વિનની આસપાસ લોકોની ભીડ વધી છે. આવી સ્થિતિમાં, તેમના પર 24X7 નજર રાખવામાં આવી રહી છે. કારણ કે લોકો આ નાના બાળ પેંગ્વિન હપિંગ અને સ્વિમિંગ કરતા જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં લાંબા સમય સુધી ઉભા રહે છે. ડૉ.સાટમે કહ્યું, “આ નવજાત પેન્ગ્વિનની સુરક્ષા માટે અમે તમામ સુવિધાઓનું ધ્યાન રાખીએ છીએ. તેમને દિવસમાં ત્રણ વખત ખવડાવવામાં આવે છે અને હવા અને પાણીના નિયમિત ફિલ્ટરેશનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.”
તમને જણાવી દઈએ કે ભાયખલાના આ ઝૂલોજિકલ ગાર્ડનમાં 6000 વૃક્ષો છે, જ્યારે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ ઐતિહાસિક સંરચના અને સ્મારકો પણ છે