Site icon News Continuous Bureau | Mumbai

આખરે યાદ આવ્યા!! દક્ષિણ મુંબઈના ચોકનું નામ આ ભૂતપૂર્વ સ્વર્ગીય કેન્દ્રીય પ્રધાનનું આપવામાં આવ્યું. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,  

Join Our WhatsApp Channel

બુધવાર,  

દક્ષિણ મુંબઈમાં સી.પી.ટેન્કમાં આવેલા ચોકને ભાજપના  નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વર્ગીય જયંવતીબહેન મહેતાનું નામ આપવામાં આવ્યું હતું. 

સ્થાનિક ભાજપના નગરસેવક અતુલ શાહના નેતૃત્વમાં તેમના વિસ્તારમાં આવેલા આ ચોકનું નામકરણ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકના હસ્તે કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ભાજપના અનેક નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

કોરોના મહામારી દરમિયાન મુંબઈ મનપાની તિજોરી છલકાઈ, ફિક્સ ડિપોઝિટમાં થયો આટલા ટકાનો વધારો… જાણો વિગત

દક્ષિણ મુંબઈના ગુજરાતી વિસ્તારમાં જ નહીં પણ મુંબઈના ગુજરાતીઓની સાથે જ ભાજપમાં જયવંતીબહેન મહેતા અત્યંત લોકપ્રિય રહ્યા હતા. ભાજપમાં એકદમ નાના પદેથી કારકીર્દી ચાલુ કરીને કેન્દ્રીય પ્રધાન પદ સુધી પહોંચેલા જયંવતીબહેન મહેતાનું લાંબી બીમારી બાદ સાત નવેમ્બર 2016માં અવસાન થયું હતું. વાજપેઈ સરકારમાં તેઓ કેન્દ્રીય પ્રધાન પદ સુધીની મજલ કાપી હતી.

દક્ષિણ મુંબઈમાં ખાસ કરીને કાલબાદેવી, મુંબાદેવીમાં તેઓ સ્થાનિક લોકોની નાનીથી મોટી દરેક સમસ્યાઓ મુદ્દે લડીને તેમને ન્યાય અપાવવામાં જયંવતીબહેન હંમેશાથી અગ્રેસર રહ્યા હતા.

Borivali Woman Cyber Fraud ઑનલાઇન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડી ભારે બોરીવલીની મહિલા સાથે ₹૬ લાખની સાયબર ઠગાઈ
Mumbai Airport Runway Incident સેંકડો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા મુંબઈ રનવે પર એર ઇન્ડિયાના બે પ્લેન આમનેસામને
Mumbai Bus Pushed to Save Life “અમે છીએ ને… તો શેનો ડર છે?” એક યુવકનો જીવ બચાવવા માટે મુંબઈગરાઓએ આખેઆખી બસ ધકેલી, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
Panvel Steel Trader Arrested ₹૭૦ લાખનું સ્ટીલ પચાવી પાડી ફરાર થયેલો પનવેલનો વેપારી મલાડમાંથી ઝડપાયો, પોલીસે જેલભેગો કર્યો
Exit mobile version