Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથ હવે શિવસેના ભવન પર જમાવશે કબજો…? આ ધારાસભ્યએ કર્યો દાવો. કહ્યું-ઉદ્ધવ ઠાકરે પોતે ચાવી આપશે!

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને 40 ધારાસભ્યો લઈને ભાજપ સાથે સરકાર બનાવી. શરૂઆતમાં, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેના પરિવારના મુદ્દા પર નરમ વલણ અપનાવ્યું હતું. પરંતુ હવે શિંદે જૂથ આક્રમક બન્યું છે અને એવી ચર્ચા હતી કે શિંદે જૂથ શિવસેના ભવન પર પણ કબજો જમાવી લેશે. પરંતુ એક ધારાસભ્યના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

advocate ashish giri petition in supreme court demanding shiv sena bhavan shiv sena party fund and shiv sena shakha gives to shinde group

પાર્ટી અને ચિન્હ બાદ, શું હવે એકનાથ શિંદે શિવસેના ભવન અને શાખા પર જમાવશે કબ્જો? સુપ્રીમમાં દાખલ થઇ આ અરજી..

News Continuous Bureau | Mumbai

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને 40 ધારાસભ્યો લઈને ભાજપ સાથે સરકાર બનાવી. શરૂઆતમાં, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેના પરિવારના મુદ્દા પર નરમ વલણ અપનાવ્યું હતું. પરંતુ હવે શિંદે જૂથ આક્રમક બન્યું છે અને એવી ચર્ચા હતી કે શિંદે જૂથ શિવસેના ભવન પર પણ કબજો જમાવી લેશે. પરંતુ એક ધારાસભ્યના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Channel

બે દિવસ પહેલા શિંદે જૂથે મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાની ઓફિસ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે શિંદે જૂથ શિવસેના ભવન તરફ આગળ વધશે તે નિશ્ચિત માનવામાં આવે છે. હવે અમરાવતીના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. રાણાએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં શિવસેના ભવનનો કબજો સંભાળશે. સાથે રવિ રાણાએ એવો પણ દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે પોતે તેમને શિવસેના ભવનની ચાવી આપશે.હવે રવિ રાણાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

રવિ રાણાએ શું કહ્યું?

આ બિલ્ડિંગ શિવસેનાના નામે છે. શિંદે પાસે સૌથી વધુ ધારાસભ્યો, કોર્પોરેટર પદાધિકારીઓ છે. તે જૂથ વાસ્તવિક છે. તેથી સ્વાભાવિક રીતે જ શિવસેના ભવન પર માત્ર શિંદે જૂથનો જ અધિકાર રહેશે. બહુમતી એકનાથ શિંદે પાસે છે. રાણાએ કહ્યું કે ઠાકરે પાસે હવે શિવસેના ભવનની ચાવી એકનાથ શિંદેને સોંપવા સિવાય કોઈ વિકલ્પ નથી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાની ઓફિસ કબજે કરવાને લઈને પણ ઠાકરે-શિંદે જૂથ વચ્ચે ઘર્ષણ થયું છે. તેનો ઉલ્લેખ કરતાં રવિ રાણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં તમામ કામો ટકાવારીના ધોરણે થતા હતા. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પર વહીવટદાર છે. આથી ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા છે. હવે ત્યાં ટકાવારીનું કામ અટકશે.

આ સમાચાર પણ વાંચો:  Heeraben Modi Death News: PM મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ.. જુઓ વિડીયો

એટલું જ નહીં, રાણાએ વધુમાં કહ્યું કે, ભવિષ્યમાં શિવસેના ભવન એકનાથ શિંદેની શિવસેનામાં આવવું જોઈએ. શિંદે શિવસેના ભવનમાં આવશે અને તેને સંભાળશે. શિવસેના ભવન સત્તાવાર શિંદે જૂથને જ મળશે. ઉદ્ધવ ઠાકરેએ શિંદેને ચાવી આપવી પડશે. પાર્ટીના નામે શિવસેના ભવન છે, જ્યારે બહુમતી પાર્ટીને પાર્ટી પર નિયંત્રણ મળે છે. શિંદે પાસે 80 થી 90 ટકા પાર્ટી છે. શિંદેએ પણ તે સાબિત કર્યું છે. શિંદે જૂથમાં 40 ધારાસભ્યો જોડાયા છે. ઘણા કોર્પોરેટરો અને અધિકારીઓ પણ શિંદે જૂથમાં જોડાયા છે. તેથી રાણાએ એવો પણ દાવો કર્યો છે કે શિંદેને શિવસેના ભવન મેળવવામાં કોઈ સમસ્યા નહીં આવે .

રાણાએ ઉદ્ધવ ઠાકરેની પણ આકરી ટીકા કરી હતી. તેમણે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના વિચારોથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે સોનિયા ગાંધીના વિચારો સ્વીકાર્યા. તેમણે કહ્યું કે આ કારણે જ કટ્ટર શિવસૈનિકો તેમનાથી દૂર ગયા. દરમિયાન, શિંદે જૂથના પ્રવક્તા ભરત ગોગાવલેએ કહ્યું કે શિવસેના ભવન પર કબજો કરવાની કોઈ યોજના નથી. દાદરમાં શિવસેના ભવન પર કબજો કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. વિચારમાં નહીં અને મનમાં નહીં. અમે ક્યારેય આ વિષયની ચર્ચા પણ કરી નથી. અમારી મીટીંગમાં બીજી ઓફિસ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. શિવસેના ભવનનો વિષય અમારી સભાઓમાં ક્યારેય આવતો નથી. અમે તેના વિશે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

આ સમાચાર પણ વાંચો: આખરે જીવન મરણ સામેની જંગ હારી ગયો આ સ્ટાર ફૂટબોલર.. 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version