Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના માલવણીમાં હિંદુ સ્મશાનભૂમિના આ તો કેવા હાલ- ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય-BMC સામે હિંદુઓનો આક્રોશ

News Continuous Bureau | Mumbai

મુંબઈના માલવણીમાં(Malvani) આવેલા હિંદુ સ્મશાનભૂમિની (Hindu burial ground) હાલત એક ખંડેર કરતા પણ બદતર થઈ ગઈ છે. વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) પી-નોર્થ વોર્ડ દ્વારા તેના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ હિંદુઓ દ્વારા કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

માલવણી એક નંબરમાં અર્થવ કોલેજ પાસે આ હિંદુ સ્મશાનભૂમિ(Hindu Cemetery) આવેલી છે. સોશિયલ મીડિયા પર આ સ્મશાનભૂમિના ફોટા ફરી વળ્યા છે. જેમાં સ્મશાનભૂમિની(cemetery) હાલત એકદમ દયનીય જણાઈ રહી છે. ઠેર-ઠેર ગંદકી સિવાય અહીં કઈ જણાતું નથી.

સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર કરેલી ફરિયાદ મુજબ હિંદુઓમાં માણસના મૃત્યુ બાદ પણ તેનું એટલું જ સન્માન આપવાનો રિવાજ છે. પરંતુ માલવણીના આ સ્મશાનભૂમિમાં કોઈ પ્રકારના ઠેકાણા નથી. અંતિમ સંસ્કાર આપવા પહેલા સંબધીઓને ન્હાવાનું હોય છે. પરંતુ અહીં ના બાથરૂમના ઠેકાણા છે, ના તો પાણીના ઠેકાણા છે. સોશિયલ મીડિયા પર સ્મશાનભૂમિના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેસવા માટે તૂટેલી ફૂટેલી  સીટ દેખાય છે. નાનું એવું એક મંદિર દેખાય છે તે પણ એકદમ જીર્ણ હાલતમાં જણાય છે. ફોટામાં સ્મશામભૂમિમાં ઠેર ઠેર ગંદકીનો માહોલ જણાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- મુંબઈ-અહમદનગર  નેશનલ હાઈવે બન્યો જોખમી-  એક વર્ષમાં થયા આટલા એક્સિડન્ટ-સેફ્ટી ઓડિટની થઈ માગણી- જાણો વિગત

સોશિયલ મિડિયા(Social media)પર ભાજપના નેતાઓ(BJP leaders) તથા પાલિકાના પી-નોર્થ વોર્ડ ને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ 26 ઓગસ્ટના કરવામાં આવી હતી. એ સમયે પી-નોર્થ વોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી અને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. જોકે આજે દસ દિવસની ઉપર થઈ ગયા છે. છતાં હજી સુધી પાલિકા દ્વારા ત્યાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એવી ફરિયાદ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
 

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
Mumbai Water Tariff Hike પાલિકાની તિજોરી ખાલી થતાં સામાન્ય કરદાતા પર તરાપ પાણીવેરામાંથી આવક વધારવા BMC લાવશે નવો ટેક્સ સ્લેબ
Mumbai Rat Menace મુંબઈમાં ઉંદરોનો ત્રાસ BMCએ 46 દિવસમાં 4,702 ઉંદરોનો સફાયો કર્યો, લેપ્ટોસ્પાઇરોસિસ સામે મોટું અભિયાન!
Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Exit mobile version