Site icon News Continuous Bureau | Mumbai

કૉન્ગ્રેસ પાર્ટીએ શિવસેનાને આડે હાથ લીધી; સવાલ પૂછ્યો કે નાળાં કેમ સાફ નથી થયાં? જાણો અહીં વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબે નહીં એ માટે BMC કરોડો રૂપિયા ખર્ચીને નાળાં સફાઈનાં કામ કરતી હોય છે. આ વર્ષે મુંબઈની ગટરો અને નાળાંઓ પાછળ 70 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. છતાં ગટરો અને નાળાં કચરાથી ભરેલાં હોવાથી આ વર્ષે પણ મુંબઈગરાના ઘરમાં ચોમાસામાં પાણી ભરાશે એવો  આરોપ મુંબઈ કૉન્ગ્રેસે કર્યો છે.

મુંબઈમાં 31 મે સુધીમાં તમામ ગટર અને નાળાંઓની સફાઈ કરી દેવામાં આવી હોવાનો મુંબઈ મનપા પ્રશાસને દાવો કર્યો હતો. જોકે ભાજપ અને ત્યાર બાદ પાલિકાના વિરોધ પક્ષ કૉન્ગ્રેસે મુંબઈનાં નાળાંઓની વિઝિટ કરી હતી અને નાળાંઓ હજી પણ કચરાથી ભરેલાં હોવાનો આરોપ કર્યો છે.

કૉન્ગ્રેસે પાલિકાના 100 ટકા નાળાસફાઈના દાવાને મુંબઈગરા સાથેની છેતરપિંડી ગણાવી હતી. પાલિકાના અધિકારીઓ કૉન્ટ્રૅક્ટર સાથે મળીને નાળાસફાઈનાં કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ પણ મુંબઈ કૉન્ગ્રેસે કર્યો હતો. મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપે પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજા સાથે ગુરુવારે મુંબઈનાં નાળાંઓની વિઝિટ કરી હતી. જેમાં ધારાવી 90 ફૂટ રસ્તા પર રહેલા કામરાજ ચોક બાજુનું નાળું, ગોવંડી શિવાજી નગર, બોરીવલીગોરાઈ નાળુ, કાંદિવલી (પશ્ચિમ)ના લાલજીપાડામાં આવેલા નાળાંઓનો  સમાવેશ થાય છે.

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત..

 નાળાંઓની મુલાકાત બાદ  ભાઈ જગતાપે કહ્યું હતું કે નાળાની સફાઈ પાછળ ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ડૂબી જવાના છે. મોટા ભાગના નાળાંની સફાઈ થઈ જ નથી. જ્યાં નાળાં સાફ કરવામાં આવ્યાં છે એનો કચરો એની બહાર જ પડી રહ્યો છે. એ ઉપાડયો નહીં તો વરસાદમાં ફરી પાછો નાળામાં જતો રહેશે. નાળાસફાઈમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version