Site icon News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, જર્જરિત ઇમારતના પુનઃવિકાસ માટે તમામ ભાડૂતોની સંમતિ જરૂરી નથી.. મુંબઈ પાલિકાને આપ્યો આ નિર્દેશ

Consent of all tenants not needed for redevelopment of dilapidated building: Bombay High Court

બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, જર્જરિત ઇમારતના પુનઃવિકાસ માટે તમામ ભાડૂતોની સંમતિ જરૂરી નથી.. મુંબઈ પાલિકાને આપ્યો આ નિર્દેશ

News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જર્જરિત ઈમારતોના પુનઃવિકાસ માટે ઈમારતના તમામ રહેવાસીઓની સંમતિ જરૂરી નથી. આવી ઇમારતોના પુનર્વિકાસ માટે ઓછામાં ઓછા 51 થી 70 ટકા રહેવાસીઓની સંમતિ પૂરતી છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને આરએન લદ્દાની બેન્ચ બેન્ચે આ નિર્ણય આપીને ડેવલપરને રાહત આપી છે.

ગોરેગાંવમાં એક જર્જરિત ઈમારતના પુનઃવિકાસ માટે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ રહેવાસીઓની સંમતિ મેળવવાની શરત મૂકી હતી. તે પછી ડેવલપરે કોર્ટમાં ધા નાખી હતી. સાથે દાવો કર્યો હતો કે જર્જરિત ઈમારતોના સમયસર રિડેવલપમેન્ટની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પાલિકાની આ નીતિ દમનકારી છે. તેણે કોર્ટનું ધ્યાન દોર્યું કે તમામ રહેવાસીઓની સંમતિ મેળવવી હંમેશા શક્ય નથી.

Join Our WhatsApp Channel

સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે રહેવાસીઓના લાભ માટે આ શરત રાખવામાં આવી છે. બંને પક્ષોને સાંભળ્યા પછી, બેન્ચે ખાનગી તેમજ મ્યુનિસિપલ ઇમારતોને જોખમી જાહેર કરવા સંબંધિત વહીવટી માર્ગદર્શિકા અને વિકાસ નિયંત્રણ નિયમો, 2034 ની જોગવાઈઓને ધ્યાનમાં લીધી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને આરએન લદ્દાનીની ખંડપીઠે જણાવ્યું હતું કે જો બિલ્ડિંગના 51 થી 70 ટકા રહેવાસીઓએ મકાનમાલિક દ્વારા વૈકલ્પિક આવાસની ઓફર સ્વીકારી હોય અને તેઓ પુનર્વિકાસ માટે સંમતિ આપવા તૈયાર હોય, તો તેમની સંમતિ બાંધકામ શરૂ કરવા માટે જરૂરી સીસી પ્રમાણપત્ર ડેવલપર મેળવવા માટે પૂરતી છે..

આ સમાચાર પણ વાંચો : રેલપ્રવાસીઓ માટે ખુશખબર, હવે મુસાફરોને ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 100% રિફંડ, Paytmના આ નવા ફીચરે યૂઝર્સને કર્યા દિવાના..

કોર્ટે શું કહ્યું?

જો મકાનના મોટા ભાગના રહેવાસીઓ મકાન ખાલી કરવા અને પુનઃવિકાસ કરાર હેઠળ જમીન માલિક દ્વારા ઓફર કરાયેલ વૈકલ્પિક મકાન સ્વીકારવા તૈયાર હોય, તો બાકીના લઘુમતી સભ્યોના વિરોધને ધ્યાનમાં લઈ શકાય નહીં.

બિલ્ડિંગના લઘુમતી સભ્યો જો પુનઃવિકાસ માટે સંમતિ ન આપવા માટે કોઈ કારણ રજૂ કરે તો તેમને સાંભળવામાં આવશે નહીં. જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને તેમની સંમતિના અભાવના આધારે અટકાવી શકાય નહીં.

કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે બિલ્ડિંગના લઘુમતી કબજેદારોના હિત બહુમતી કબજેદારોના હિતોના માર્ગમાં આવી શકે નહીં.

લઘુમતી વ્યક્તિઓ પુનઃવિકાસની શરૂઆત કરવામાં વિલંબ કરી શકે નહીં. કારણ કે તેમનો વિરોધ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કિંમતમાં વધારો કરે છે અને તમામ રહેવાસીઓ પર તેની ગંભીર અસર પડે છે.

BKC Police Arrest Absconding Accused Since 2005 મુંબઈની બીકેસી પોલીસની મોટી સફળતા, ૨૦૦૫થી ફરાર આરોપી ૨૧ વર્ષ બાદ ચકાલામાંથી ઝડપાયો
Jogeshwari Police જોગેશ્વરી પોલીસની પ્રશંસનીય કામગીરી, ૨૮ વર્ષથી ફરાર આરોપીને ડોમ્બિવલીમાંથી ઝડપી પાડ્યો
MIDC Police Electric Scooter Theft મુંબઈ પોલીસની મોટી કામગીરી MIDC પોલીસે ઇલેક્ટ્રિક સ્કૂટર ચોરતી ગેંગનો પર્દાફાશ કરી ₹૬.૧૮ લાખના ૧૧ વાહનો જપ્ત કર્યા
DBMarg Police Laptop Recovery Taxi મુંબઈમાં નાગરિકની પ્રામાણિકતા અને પોલીસની ત્વરિત કામગીરી, ટૅક્સીમાં રહી ગયેલો કિંમતી લૅપટોપ મૂળ માલિકને પરત સોંપાયો
Exit mobile version