Site icon

મુંબઈમાં આ ગતિએ જ કોરોના વધ્યો તો છેક પાંચ વર્ષે કેસ બમણા થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈગરા માટે રાહતજનક સમાચાર છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિદિન નોંધાતા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા થોડા દિવસથી રોજના 200થી 300ની અંદર નવા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે મુંબઈમાં માત્ર 267 નવા દર્દી નોંધાયા હતા તેમ જ ફક્ત ચાર દર્દીનાં મોત થયાં હતાં. મુંબઈ મનપાએ અમલમાં મૂકેલી યોજનાઓને પગલે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. એથી દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધી 1,921 દિવસ પર આવી ગયો છે.

વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત

જો આ ગતિએ જ મુંબઈમાં કોરોનાના નવા કેસ નોંધાશે તો સાડાપાંચ વર્ષે કોરોનાના કેસ બમણા થશે. જે મુંબઈની સવા કરોડની વસતી માટે બહુ મોટી વાત કહેવાય છે. મુંબઈનો કોવિડ ગ્રોથ રેટ 0.04 ટકા થઈ ગયો છે. મુંબઈનો હાલનો રિકવરી રેટ પણ વધીને 97 ટકા પર આવી ગયો છે. જોકે 15 ઑગસ્ટથી વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસમાં કોરોનાના દર્દી ફરી વધી જવાની ચિંતા પાલિકાને સતાવી રહી છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version