Site icon

મુંબઈમાં આ ગતિએ જ કોરોના વધ્યો તો છેક પાંચ વર્ષે કેસ બમણા થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈગરા માટે રાહતજનક સમાચાર છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિદિન નોંધાતા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા થોડા દિવસથી રોજના 200થી 300ની અંદર નવા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે મુંબઈમાં માત્ર 267 નવા દર્દી નોંધાયા હતા તેમ જ ફક્ત ચાર દર્દીનાં મોત થયાં હતાં. મુંબઈ મનપાએ અમલમાં મૂકેલી યોજનાઓને પગલે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. એથી દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધી 1,921 દિવસ પર આવી ગયો છે.

વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત

જો આ ગતિએ જ મુંબઈમાં કોરોનાના નવા કેસ નોંધાશે તો સાડાપાંચ વર્ષે કોરોનાના કેસ બમણા થશે. જે મુંબઈની સવા કરોડની વસતી માટે બહુ મોટી વાત કહેવાય છે. મુંબઈનો કોવિડ ગ્રોથ રેટ 0.04 ટકા થઈ ગયો છે. મુંબઈનો હાલનો રિકવરી રેટ પણ વધીને 97 ટકા પર આવી ગયો છે. જોકે 15 ઑગસ્ટથી વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસમાં કોરોનાના દર્દી ફરી વધી જવાની ચિંતા પાલિકાને સતાવી રહી છે.

 

Dhurandhar 2 Film Shoot Controversy: ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગમાં સુરક્ષા સાથે ચેડાં: B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવા BMCની ભલામણ; નિયમો તોડવા બદલ ભારે દંડ.
Mumbai Traffic Police: મુંબઈમાં રિક્ષાચાલકોની મનમાની પર પોલીસનો ‘સપાટો’: ૧૨ દિવસમાં ૩૬ હજાર કેસ અને ₹૯૭ લાખનો દંડ; ૮૧૫ રિક્ષાઓ કરાઈ જપ્ત
Mahim Hospital Data Fraud: માહિમમાં હોસ્પિટલના ડેટાનો દુરુપયોગ કરી છેતરપિંડી: મૃત દર્દીના પરિવારને ‘સહાય’ની લાલચ આપી નાણાં પડાવનાર ભેજાબાજ ઝડપાયો.
Mumbai Water Metro Update: ડિસેમ્બર ૨૦૨૬થી મુંબઈમાં શરૂ થશે વોટર મેટ્રો, જાણો કયા ૮ રૂટ પર મુસાફરોને મળશે એસી બોટની સુવિધા.
Exit mobile version