Site icon

મુંબઈમાં આ ગતિએ જ કોરોના વધ્યો તો છેક પાંચ વર્ષે કેસ બમણા થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈગરા માટે રાહતજનક સમાચાર છે. મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પ્રતિદિન નોંધાતા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા થોડા દિવસથી રોજના 200થી 300ની અંદર નવા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે મુંબઈમાં માત્ર 267 નવા દર્દી નોંધાયા હતા તેમ જ ફક્ત ચાર દર્દીનાં મોત થયાં હતાં. મુંબઈ મનપાએ અમલમાં મૂકેલી યોજનાઓને પગલે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. એથી દર્દી બમણા થવાનો સમયગાળો પણ વધી 1,921 દિવસ પર આવી ગયો છે.

વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત

જો આ ગતિએ જ મુંબઈમાં કોરોનાના નવા કેસ નોંધાશે તો સાડાપાંચ વર્ષે કોરોનાના કેસ બમણા થશે. જે મુંબઈની સવા કરોડની વસતી માટે બહુ મોટી વાત કહેવાય છે. મુંબઈનો કોવિડ ગ્રોથ રેટ 0.04 ટકા થઈ ગયો છે. મુંબઈનો હાલનો રિકવરી રેટ પણ વધીને 97 ટકા પર આવી ગયો છે. જોકે 15 ઑગસ્ટથી વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસમાં કોરોનાના દર્દી ફરી વધી જવાની ચિંતા પાલિકાને સતાવી રહી છે.

 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version