Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના પોઝિટીવીટી દર ઘટીને સૌથી નીચા સ્તરે પહોંચી ગયો.. જાણો BMC કમિશનરે ‘ન્યૂઝ કન્ટીન્યુઝ’ ને આપી ખાસ માહિતી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ડિસેમ્બર 2020

મુંબઈકરો માટે કોવિડ 19 ને લઈને એક સારા સમાચાર આવ્યાં છે.. "ન્યુઝ કન્ટીન્યુઝ" સાથે ની ખાસ વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે, મુંબઈમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટીને 5 ટકા થઈ ગયી છે. જે પાછલાં તમામ કેસો કરતાં ઓછા છે.

આ તહેવારની સિઝનમાં શહેરમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટી.પી.આર.) સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. દૈનિક નવા કેસોની સરેરાશ સંખ્યા પણ નવેમ્બરની સરખામણીએ અડધી થઈ ગઈ છે. મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, પરંતુ વૃદ્ધ લોકોના મોતનું પ્રમાણ યથાવત છે. એમ ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.  દિવાળી વેકેશન પછી નવા કેસોમાં વધારો થયો હતો. તે ગ્રાફ પણ સુધરી રહ્યો છે. કુલ 16394 લોકોની RTPCR અને એન્ટીજેન્ટ ટેસ્ટ કરવામાં આવી હતી જેમાંથી 15546 કેસ નેગેટિવ આવ્યા હતા જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા માત્ર 825 જોવા મળી છે.

બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પરીક્ષણો વધારવા માટેના વધુ વિકલ્પો રજૂ કર્યા છે. મનપા કમિશ્નર ઇકબાલ સિંહ ચહલએ "ન્યૂઝ કન્ટીન્યૂઝ" ને ખાસ જણાવ્યું હતું કે COVID-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને જોખમ ઘટાડવા માટે લોકોએ સામાજિક અંતર જાળવવું જોઈએ અને માસ્ક પહેરવા જોઈએ..

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version